________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નહિ. જ્યારે સર્વ કર્મો દુર ખસે છે. ત્યારે જ આત્મા અનંતગુણોને આધાર બને છે. તે જ સમયે આત્મા તેજ, પરમાત્મારૂપે પ્રગટ થાય છે. ત્યારે માનસિક વૃત્તિ, વાણું અને કાયાની પ્રવૃત્તિથી ન્યારે બને છે. માટે તમે મન, વાણી અને કાયાથી જુદા આત્માને વિચાર કરે. અને પુનઃ પુનઃ ભાવનાથી ભાવિત કરે. આ મુજબ સમ્યગ્નજ્ઞાની બની તથા કિયામાં લયલીન થઈ, શાંત, ઉપશાંત પૂર્વક સમત્વ ગવાળો આત્માને તમે બનાવશે ત્યારે આત્મા સર્વથા નિર્મલતા ધારણ કરશે. પરમાત્માને પ્રાદુર્ભાવ થશે. એટલે ઘાતીયા કર્મોને ખસેડવાથી કૈવલ્યજ્ઞાનના સ્વામી બનશે. અને અદ્દભૂત વેગી, નિજગુણ ભેગી કહેવાશે. પછી જ અઘાતિક કર્મોને ટાળવા માટે શક્તિને પ્રાપ્ત કરી પરમપદને પામશે. જેથી, જન્મ, જરા, મરણાદિ રહેશે નહિ. અને અન્તરનું સત્ય ધન પામી, કેવલી બની, મહાન સામ્રાજ્ય પામી અનન્ય રાજા કહેવાશે. માટે તમારે સત્ય સામ્રાજ્યને મેળવી સત્ય સમૃદ્ધિવાળા બનવું હેય તે, સંસારની મેહજાલને દૂર કરવા જાગ્રત થાઓ. તે મેહજોલે તમને કામ, ક્રોધ, મદ, લેભાદિકે બરોબર ફસાવ્યા છે. તેની તપાસ કરી શક્તિને ફેરવી તેને દૂર હઠાવે. દુર કરવાની તમારામાં તાકાત તે છે જ. પરંતુ તમે જાગ્રત થયા નથી. તેથી અણગમતી ઈચ્છાઓને પણ હઠાવી શક્યા નથી, અતએ કહેવું પડે છે કે, મહાદિકના પૅનમાં પડી રહેલા એવા તમે હવે ક્યારે જાગ્રત થશે ? જે.
For Private And Personal Use Only