SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩૭ મત્સરાદિક છે. તેથી કયાંથી સ્વાર્થ સધાય ! ઉલટા તે દુર્ગણે, મન, વચન, કાયાને ખરાબ કરવા પૂર્વક દુર્ગતિમાં સપડાવે છે. તેથી કરેલા કાર્યો સદુગતિમાં સહારો આપવા સમર્થ થતાં નથી ભલે માયા, મમતા રાખો. પણ તેમાં કષા થાય નહિ તે મુજબ સાવધાની, ઉપગ રાખવાની જરૂર છે. તેથી તે સાધેલે સ્વાર્થ, પરમાર્થને સાધવામાં સાનુકલતા રીતસર કરી આપશે. અન્યથા તમે પરમાર્થ માટે ઘણું ઝંખના કરશે. દેરાસરમાં જઈ પ્રભુ પાસે વિનતિ કરશે તે પણ, પરમાર્થ કહેતાં આ ન્નતિ કરવી તે બનવી અશક્ય, દુષ્કર થશે. માટે વ્યવહારને પ્રભુના વચનાનુસારે શુદ્ધ બનાવો. એટલે પરમાર્થને સાધવાની એગ્યતા આવે. માટે સદ્ગુરૂ ફરમાવે છે કે, વ્યાવહારિક કાર્યો પણ તદર્થે એટલે આત્માના વિકાસ માટે કહેવા જોઈએ. તે પણ ક્ષણે ક્ષણે રાગ, દ્વેષ અને મેહાદિકના વિકારેને ઝપાટ લાગે નહિ તે મુજબ સાવધાન બનવું. કે જેથી સ્વાર્થની સાથે સાથે પરમાર્થ સાધવાની શક્તિ જાગે. કારણ શુદ્ધ હેય તે કાર્યની શુદ્ધિ થાય. જીનેશ્વરના વચનાનુસારે વ્યવહાર રાખવે તે શુભ કારણ છે. અને તે મુજબ આત્મ સાધના કરી આત્મવિકાસ સાધવે તે કાર્ય છે. તે વ્યવહાર, નિશ્ચયમાં સુગમતાયે સ્થાપન કરે છે. આત્મિકગુણોમાં રમણતા કરનારને વ્યવહારના કાર્યો કરવા પડે છે જ, ખાવું, પીવું, કાર્ય પ્રસંગે બીજે સ્થલે જવું, પાસે આવનારને શક્ય સલાહ, ઉપદેશ આપ. For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy