________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩૬
મહિમાવાળા આત્મજ્ઞાન વિના જગતમાં અંધકાર હોય તેમાં આશ્ચર્ય નથી. આત્મજ્ઞાનથી કેવલ્યને પ્રાદુર્ભાવ થાય. છે. માટે સદ્દગુરૂની સંગમાં રહે. અને આત્મજ્ઞાનને પ્રાપ્ત. કરીને અંધકારને, મિથ્યાત્વ વિગેરેનો ત્યાગ કરી હૈયામાં ઉજીયારૂ કહેતાં પ્રકાશ કરો. અને સંપૂર્ણ પ્રકાશરૂપ કેવલ્યજ્ઞાન, બે ત્રણ ભાગમાં પ્રાપ્ત થાય છે. કેવલજ્ઞાનને પ્રકાશ થતાં જગતમાં જે જે પદાર્થો છે તે તે સઘળાને. સાક્ષાત્કાર થાય છે. શેયપણુએ જણાય છે. કારણ કે જ્ઞાતા, કેવલજ્ઞાનવાળા બન્યા છે. પછી રાગ, દ્વેષ અને મોહ, જે ભવરગ છે. તે ટળી જાય છે. પુનઃ જન્મજરા મરણની વિડંબનાને આવવાનો અવકાશ કદાપિ મળતો નથી. આત્મજ્ઞાનથી, જેટલા જ્ઞાનના આવિર્ભા છે. તે સઘળા. તેમાં સમાય છે. તેથી અન્ય જ્ઞાન, જાણવાનું રહેતું નથી.
એક ભાગ્યવાન, યુવાવસ્થા વીતી ગયા પછી, વૃદ્ધાવસ્થામાં પણ દીક્ષા ઉપર અધિક પ્રીતિ હોવાથી સંવેગી, વૈરાગી બનીને રીતસર સંયમી બન્યા. પણ, ક્રિયાકાંડ પૂરતું જે જ્ઞાન જોઈએ, તે પણ શીખી શકતા ન હોવાથી, ગુરૂદેવને કહે છે કે, કિયા પુરતું પણ જ્ઞાન હું શીખી શકતો નથી. મુખે ચઢતું નથી. માટે એ કઈ ઉપાય બતાવો કે, સર્વ જ્ઞાન એમાં સમાય. આનંદે રહી શકું. સદ્દગુરૂએ કહ્યું કે, વ્યાવહારિક ક્રિયાકાંડનું જ્ઞાન શીખી શકાતું ન હોય તે, આટલું વાક્ય તે મુખે ચઢશે ને? શિષ્ય કહ્યું. કયું વાક્ય? “માષ્ય મા તુક્ય’ એટલે પ્રતિકુળતાના વખતે
For Private And Personal Use Only