________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૮
સવેગ અને શ્રદ્ધાએ નિવાસ કર્યો. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન પુછયો. ગુરૂદેવે કહ્યું કે, જે બકરાને કસાઈ લઈ જતું હતું, તે બકરે, ગતભવને તમારે પિતા હતા. તે ગમે તેમ વ્યાપારાદિ કરીને ધનાઢય બન્યું. અને પેઢીને સ્થાપન કરી. આ પેઢી મેં સ્થાપન કરી છે. અને આ મારો પુત્ર મને કસાઈ પાસેથી છોડાવશે. અને જીવિતદાન અપાવશે આમ ધારી, તમારી પેઢીમાં પડે. પણ તમે તે એક ઘડી પણ ટકવા દીધું નહિ. અને મારી મારીને બહાર કાઢી મૂક્યો. તેથી તે બૂમ પાડતે ચાલ્યા ગયે. આ મુજબ ગુરૂદેવનું કથન સાંભળી શેઠ ઘણો પસ્તાવો કરવા લાગ્યા. ગુરૂદેવના આ પ્રમાણેના કથનને સાંભળી, આ શ્રીમાન શેઠને ખ્યાલ આવ્યો કે, મારા પિતાએ પાપારંભે કરવાપૂર્વક પેઢીને સ્થાપી. અને મારૂ મારૂ કરીને જીવનપર્યત ધનાદિકમાં આસક્ત બની સ્વકલ્યાણ સાધ્યું નહિ. તેથી તે પિતાને આવી ગતિ મળી. જે હું હવે નહિ ચેતું. જાગ્રત નહિ થાઉં. તો મારી આવી ગતિ થશે. આ મુજબ વિચાર કરી, સદ્દગુરૂદેવને વંદના કરી, વિનતિ કરી કે, હવે સાત દિવસમાં સદ્ગતિ મળે તે ઉપાય બતાવે. ગુરૂદેવે કહ્યું કે, તમારે કાંઈ ચિન્તા કરવા જેવું નથી. અનાસક્ત બનીને અહિંસા, સંયમ, અને તપાદિકની આરાધના ઉલ્લાસ સહિત કરે. તેથી સઘળા પાપો દૂર ખસશે અને પુણ્યબંધના યોગે સદ્ગતિ મળશે. આ મુજબ સાંભળી માયા, મમતાનો ત્યાગ કરી તે શેઠ આત્મ કલ્યાણ
For Private And Personal Use Only