________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
સ્વતઃ ખસવા માંડે છે, ત્યારે સત્ય, જ્ઞાન, આનંદને ઉઘાડ થાય છે. તમોને અનુભવ પણ થતું હશે કે, જ્યારે તમે કોઈ પણ પ્રકારના વિચાર, વિકલ્પ, વિનાના ઘડી, બે ઘડી હશે ત્યારે આવતું હશે. તે તે અંશે તમો મોક્ષની પાસે જઈ રહેલા છે એમ જાણવું. જે જે અંશે નિરૂપાધિપણું, તે તે અંશે મેક્ષ. એટલે જે જે અંશે સંકલ્પ, વિકલ્પ ખસે છે તે અંગે પણ મેક્ષ થાય છે. મોક્ષ એટલે કર્મોને સર્વથા અભાવ, અને અનંતજ્ઞાન, દર્શન, ચારિત્રને આવિર્ભાવ. આમ અંશે અંશે પણ મેક્ષ થાય છે. તેને અનુભવ તે તમોને છે જ. તે પછી સર્વથા કર્મોને અભાવ થવાને જ. એમ શ્રદ્ધા ધારણ કરી મેહ માયાથી અળગા બનો. સુખના પડછાયામાં મુગ્ધ બને નહિ. તમે આમ ધારતા હશે કે, ક્રોધાદિ કરવાથી સામે આવતાં શત્રુઓ, ભયભીત બની નાસી જાય છે. પછી સુખશાતા, આવીને ભેટે છે. આવી ધારણામાં ભીંત જેટલી ભૂલ થાય છે. કારણ કે, ખરા શત્રુઓ તે આન્તરિક શત્રુઓ છે. તે જ્યારે જેરમાં આવે છે. અને તે જેરમાં આવતાં તમારી હાનિ થવાની.
એક સિંહ પિતાની હલકી સ્થિતિવાળા જાનવરોને મારી, પિતાનું પેટ ભરતો. તેથી ઘણા પશુઓ ઓછા થવા લાગ્યા. એક શીયાળે આ સિંહને મારી નાંખવાની યુક્તિ કરી. તે, સિંહની આગળ આવીને કહેવા લાગે. અરે સિંહ રાજ? વનમાં બીજો બલવાન સિંહ આવ્યો છે. અને તમારી સત્તા, સાહ્યબીને દૂર કરવા ઈચ્છી રહેલ છે. માટે
૨૦.
For Private And Personal Use Only