________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૦
શ્રેયઃ સાધ્યું નથી તે. રાજા, મહારાજા વિગેરેને પણ પામર કહી શકાય. તેમાં બાધ જેવું નથી. કારણ કે, તે ભવિષ્યમાં પામર બનવાની કાર્યવાહી કરી રહેલ છે. સત્તાથી કે શ્રીમંતાઈથી પામરતા ખસતી નથી. આત્માને ઓળખી આસક્તિનો ત્યાગ કરવા પૂર્વક, દાન, શીયળ, તપ, ભાવનારૂપ ધર્મની આરાધનાના વેગે જ પામરતા દૂર ખસે છે. તમે એમ માનતા નહિ કે, અમે શ્રીમંત છીએ. સત્તાધારી છીએ. તેથી પામરતા આવશે નહિ. અને ભવિષ્યમાં મજ મજા માણીશું. પણ તમે દુનિયાદારીમાં આસક્ત બનેલ છે. કાયામાયાને આત્માથી ભિન્ન માની નથી. તેથી જ મેજમજાને માણવાને વખત કયાંથી આવશે? મોજમજા કેણ માણે ? જે કાયામાયાથી જુદા એવા આત્માને સમજી, સ્વપરના કલ્યાણ માટે પરાયણ હોય તે જ. કાદવ, કીચડમાં રહેલા કીડાઓ પણ, તેમાં આસક્ત બનેલ હોવાથી, શું મેજમજા માણી રહ્યા છે ! નહિ જ. વિવિધ ભય તે તેઓને પણ રહેલ છે. જ્યાં ભીતિ, ચિન્તા, અદેખાઈ, શ્રેષાદિક હોય, ત્યાં મોજ માણી રહ્યા છે તે કેમ માની શકાય ? માયા, મમતા, રાગ, દ્વેષ વિગેરે કાદવ-કીચડ સમાન છે. તેને જ્ઞાનીએ દુનિયાદારી કહે છે. આવી દશામાં રહેલાને કીડા સમાન કહેવાય છે. તેમાં અને કીડામાં કાંઈ તફાવત નથી. કીડાઓને ચાર સંજ્ઞા વ્યક્ત અને અવ્યક્ત રહેલી છે. મનુષ્યને પણ ચાર સંજ્ઞાઓ રહેલી છે. કીડાઓ પણ કઈ રીતે જીવન પુરૂ કરે છે. મનુષ્ય જે ગમે તે
For Private And Personal Use Only