________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૮
શું થાય છે! જવાબ ન મળવાથી તેઓ ચિન્તાતુર બન્યા. ઉપચારો કરવા લાગ્યા. પણ તે બોલતા ન હોવાથી મરણ પાયાની ભ્રાન્તિ થઈ તેથી રડારોડ કરવા લાગ્યા. તે અરસામાં ગુરૂદેવે આવીને કહ્યું કે, તમે કેમ રડારોડ કરો છે! જુઓને મહારાજ ? બોલાવ્યો બેલ નથી. શ્વાસોશ્વાસ પણ ચાલતા નથી. તમે કોઈ ઉપચાર કરો તે બહુ સારૂ. ગુરૂદેવે ઉના પાણીથી ભરેલે ચાલે મંગાવીને કહ્યું કે, મારા મંત્રના પ્રભાવે જીવત થશે. પણ પાણી તેના શરીર ઉપર ફેરવી આ પ્યાલાનુ પાણું જેને પીવા આપુ તેનું મરણ થાય ? બોલે કે પીવાને તૈયાર છે! મરણના ભયથી સગાંવહાલાં કંઈ કંઈ બહાના કાઢવા લાગ્યા. વૃદ્ધ માતાને કહ્યું કે, તમારે કાત્યા એટલા કાઢવાના નથી. બહુ બહુ તે બે ત્રણ વર્ષના મહેમાન છે. માટે તમે આ મંત્રેલે પ્યાલે પી જાઓ તો તમારો પ્યારે પુત્ર જીવતો થાય. વૃદ્ધ માતા કાલાવાલા કરવા પૂર્વક કહેવા લાગ્યા કે તમે કહ્યું તે ઘણું સારું છે, પણ ત્યાંસુધી આ વૃદ્ધની સાર-સંભાળ કોણ રાખે! વધારે વર્ષો છવાય તો આ વૃદ્ધની બેહાલ દશા થાય. માટે તેના પિતાને પીવરાવે. પિતાએ કહ્યું કે, હવે તો ધર્મની આરાધના કરવાને વખત આવ્યો છે. યુવાનીમાં આરાધના બની શકી નથી. માટે તેની પત્નીને આપ. તે પુનઃ પુનઃ કહે છે કે, જે તેવો વખત આવે તે પ્રાણને પણ જતાં કરૂ. આ મુજબ તેની પત્નીએ કહ્યું. અને સાથે કહ્યું કે, મારા ખોળામાં ધાવણું બાળક છે. માતા વિના આ બાળક કેવી રીતે જીવી શકે ! મરણ પામે તે વંશવેલો રહે
For Private And Personal Use Only