________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૭
ચિન્તાતુર બનતા પણ તેઓ અતીવ કષ્ટ અનુભવે છે. દુઃખી થાય છે. એટલે તેમના પાલન પિષણમાં હું આસક્ત થયેલ હોવાથી આવી શકાતું નથી. ગુરૂદેવે કહ્યું કે, તને દુઃખ થતાં તેઓ દુઃખી થાય છે. પણ ભાગ પડાવતા તે નથી ને ? તેઓ દુઃખી થાય છે તે નેહરાગને લઈને ? માટે તારે પાલન પિષણ કરવું. પણ ધર્મની આરાધના ભૂલવી નહિ. પ્રત્યાખ્યાન કરવા તથા વ્યાખ્યાન સંભાળવા પણ તારે ઉપાશ્રયે આવવું જોઈએ. તે ભાઈએ કહ્યું કે, નેહરાગાદિકથી આવી શકાતું નથી. ગુરૂમહારાજે કહ્યું કે, તે રાગ પણ જ્યાં સુધી તું પાલન પોષણ કરે છે ત્યાંસુધી જાણ. અને પિતાના પ્રાણ ઉપર જ્યારે વાત આવશે ત્યારે ખસી જતાં વિલંબ કરશે નહિ. યુવાને કહ્યું કે, મરણ વખતે પણ તેઓ પ્રાણ આપવા તૈયાર છે. માટે કેવી રીતે રાગ મૂકી શકાય ? અલ્યા ? આ. તને બ્રમણ થઈ છે ના ! સાચી બને છે. ઘણી વખતે ચિન્તાતુર બનતા, અગર વ્યાધિ આવતાં તેઓ કહે છે કે, અમને વ્યાધિ થાય તે બહુ સારૂ? ઠીક છે. આ સઘળું બોલવામાં છે. તારે નેહરાગાદિકની પરીક્ષા કરવી હોય તે તને પ્રાણાયામને અભ્યાસ કરાવું. આ મુજબ ગુરૂદેવે કહ્યા. પછી પ્રાણાયામનો સારી રીતે અભ્યાસ કરી મસ્તકે બેત્રણ કલાક પ્રાણને સ્થિર કરવા લાગે ત્યારે ગુરૂદેવે કહ્યું કે, ઘરમાં વ્યાધિનું બહાનું કાઢી, પથારીમાં સુઈને મસ્તકે પ્રાણ સ્થિર કરજે. પછી કેવી બીના બને છે તે ખ્યાલમાં રાખજે. આ પ્રમાણે ઘરમાં પ્રાણાયામ વડે પ્રાણે મસ્તકે સ્થિર કરીને તે સુઈ ગયે. તેથી પરિવાર આવીને પુછે છે કે ભાઈ? તને
For Private And Personal Use Only