________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩
જે તમે તેને મારી નાખે તે પાંચ પાંચ હજારનું ઝવેરાત આપવામાં આવશે. આ બે માણસે, “હા” પાડીને મારી નાંખવા તૈયાર થયા. મધ્યરાત્રીએ, ઝવેરી વિચાર કરવા લાગે કે, અર્થ, અનર્થ કરનાર જે શાસ્ત્ર કહે છે તે, બરાબર છે. રખેને આ બે માણસો મને મારી નાંખે તે, માટે પાસે રહેલા લીમડા ઉપર ખાટલામાં એશીકુ મૂકીને ચઢી જાઉ. આમ વિચારી ખાટલાની વચ્ચે ઓશીકુ મૂકી, તેના ઉપર ચાદર ઓઢાડીને, લીંમડા ઉપર ચઢી બેઠે. તે અરસામાં માસ્તરને દીકરા, નાટક જોવા ગયે હતે. તે જોઈને આવ્યો. નિદ્રા આવતી હોવાથી, આ ખાટલામાં ઓશીકુ અને ચાદરને દૂર કરી સુઈ ગયે. એકદમ નિદ્રામાં ઘેરાયેલ છે. તેવામાં સંકેત કરીને રાખેલા બે માણસોએ આવીને ઝવેરીની ભ્રમણથી, માસ્તરના જ દીકરાને ગળ દબાવી મારી નાખ્યો. આ બનાવ દેખી, ઝવેરી વિચાર કરવા લાગ્યું કે, જે હું આ વૃક્ષ ઉપર ગયે ન હોત તો મારી પણ આ દશા થાત. સઘળી રાત્રી જાગતે રહીને કાઢી. માસ્તરને ખબર નથી કે, આ બે માણસેએ કોને માર્યો. તે તે સમજે છે કે, ઝવેરીને મારી નાંખ્યો હશે. અને સઘળું ઝવેરાત હાથમાં આવશે. વૃક્ષ ઉપરથી નીચે ઉતરી, ઝવેરી, બેગ લેવા માટે તે હેલમાં આવ્યું, ત્યારે ખબર પડી કે, આ જીવતે છે. ત્યારે આ માણસેએ કેને મારી નાંખ્યો, આમ વિચારીને, ખાટલા પાસે આવીને તપાસ કરે છે. ત્યારે પિતાને પુત્ર મરેલો જાણું, છાતી
For Private And Personal Use Only