________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
નહિ. કારણ કે, સંસારના અંગો સર્વથા નિર્દોષ હતા નથી. જે તમારી પાસે પુત્ર-પત્ની વિગેરે પરિવાર છે. તેઓને જુદે જુદે સ્વભાવ છે. તથા તે પરિવાર જુદી જુદી ગતિમાંથી આવીને મલ્યા છે. કોઈ મનુષ્ય ગતિમાંથી, કોઈ પશુ પંખીમાંથી, કેઈ નરકમાંથી, તથા કઈ દેવ ગતિમાંથી આવી, સંગ સંબંધે મળ્યો છે. એકઠો થએલ છે. તથા તે સઘળા પરિવારની ભિન્ન ભિન્ન રુચિ હોય છે. જુદી રુચિ હોવાથી તમારૂ કહેલ તેઓ માને નહિ, તે બનવા
ગ છે. તેથી કોપાતુર બની જેમતેમ બોલવામાં માલ નથી. તેથી સદ્ગુરૂ કહે છે કે, કેઈને કાંઈપણ કહેવું નહિ. એટલે વખત તેઓને કહેવામાં, અગર શિખામણ આપતા માને નહિ. તેઓને કર્કશ વચને કહેવામાં વખત વ્યતીત કરવા કરતાં, આત્મધ્યાનમાં રહેવું હિતકર છે. ન માને તે મૌનને ધારણ કરી, આત્મધ્યાનમાં રહેવું. જેથી કર્મબંધ થાય નહિ. કોઈ એક ગામમાં, કેઈ એકને કન્યા મળતી ન હોવાથી, લાગવગથી પૈસા ખર્ચીને પરણ્ય. પણ વખત જતાં બંનેને બનતું નથી. પતિ કહે તે પત્નીને પસંદ પડતું નથી. અને પત્ની કહે તે આ પતિને પસંદ પડતું નથી. તેથી દરરોજ કંકાસ-ઝગડા કરે છે. બાયડી ઘરાળા માગે, ત્યારે, ધણું કહે કે, ઘણી ધાગા પહેરે છે, અને તારે ઘરળ પહેરવા છે. જેટલા પિસા હતા તેને વ્યય કરી તને લાવ્યું છું. પર છું. હવે ઘરળા અગર ઘરેણું ઘડાવવાના રૂપિયા મારી પાસે નથી. જ્યારે રૂપિયાની કમાણી થશે ત્યારે ઘરચેલા
For Private And Personal Use Only