________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માટે બાહ્ય શૌચની આસક્તિને ત્યાગ કરવા પૂર્વક, આન્તરિક શૌચમાં પ્રીતિ રાખે. આત્મારૂપી નદીમાં સ્નાન કરે. કારણ કે તે પાણી વિનાની નથી. ભરપૂર જલથી પૂર્ણ છે. પરંતુ સંયમ રૂપી પાણીવાળી આ નદીને, મિથ્યા મેહ-મમતા શુષ્ક બનાવે છે. માટે સંયમરૂપી પાણી વડે આત્માને ભરપૂર કરે. તેથી જ સત્ય, સમક્તિ, શ્રદ્ધા, સમ્યગ્ર જ્ઞાન અને ચારિત્રને પ્રવાહ સારી રીતે વહેતે રહેશે. તથા વ્યભિચારી બની, તે નદીના કિનારાને આઘાત પહોંચે નહિ તે માટે, શીયલ, બ્રહ્મચર્ય ધારણ કરવાની પણ જરૂર છે કે જેથી, નદીનું પાણી અસ્તવ્યસ્ત થાય નહિ. સદાય કાયમ રહે. આ મુજબ જ્યારે આત્મારૂપી નદી, સંયમરૂપી પાણીથી પૂર્ણ હોય છે, અને સત્યાદિકને પ્રવાહ વહેતો હોય છે, તેમજ કીનારે બરોબર હોય છે ત્યારે, દયારૂપી ઉમિઓ ઉછળતી હોય છે. આવી આત્મા રૂપી નદીમાં સ્નાન કરે કે જેથી મન, તનને મેલ ખસે અને આત્મા નિર્મલ બની સ્વશક્તિને આવિર્ભાવ કરે. ફક્ત કાયા ઉપર પાણી રેડવાથી આત્મા નિર્મલ થતો નથી. આ મુજબ શ્રીકૃષ્ણ મહારાજ, શ્રી અર્જુનને ઉપદેશ આપે છે. માટે ચિઘન એટલે અનંત જ્ઞાનના સ્વામી એવા જીનેશ્વરને ઈંડામાં ધારીને ચેતે. અને આત્માને નિર્મલ કરે. જીવન, વાયુ માફક ચંચલ છે. તથા દુન્યવી સુખ, સંધ્યાના રંગ જેવું છે. જરા રાક્ષસી પાછળ પડેલી છે. સંગે, વિગવાળા છે. સગાંવહાલા સ્વાથી છે. પ્રતિકુલ થતાં જ્યારે દગે દેશે તેની ખબર પડશે નહિ.
For Private And Personal Use Only