________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાયને વાપરી ખુશી થાઓ છે. તેમજ તૈલાદિકથી માલીશ કરી, પુષ્ટ બને છે. તે કાયા–દેહ કાચા કુંભની સરખી છે. અસાધ્ય વ્યાધિ લાગતાં નાશ પામતા વિલંબ થશે નહિ. નાશ પામતી કાયાને માટે દવા-ઔષધમાં લાખો રૂપિયાને વ્યય કરશે તો પણ એક ક્ષણ માત્ર પણ ટકી શકશે નહિ. આયુષ્ય ખતમ થતાં ક્ષણ માત્ર પણ જીવી શકાતું નથી જ. કારણ કે આયુષ્યને તુટવાના ઘણા નિમિત્ત છે. સંક્ષેપમાં શાસ્ત્રકારોએ સાત દર્શાવેલ છે. પણ વધારાને એક પણ ઉપાય નથી. જ્યારે આયુષ્યનો નાશ થએ તે કાયા પણ નાશ પામવાની જ. જેવી સંધ્યાની વાદળી અગર સંધ્યા મનહર લાગે છે. દેખતા આલ્હાદક છે. છતાં તે નાશ પામે છે અને અંધકાર છવાઈ જાય છે. તેમ કાયાની પણ આવી જ સ્થિતિ છે. આયુષ્ય નાશ પામ્યા પછી કેઈક, પડી રહેલા કાયાને જમીનમાં દાટે છે અને ઉપર દરગાહ બનાવે છે. કેઈક વળી કાયાને દાટી તેના ઉપર દેવલ બનાવે છે. કેઈક વળી ચિતામાં સુવાડી અગ્નિ દ્વારા ભસ્મીભૂત કરે છે. આવી હાલત છેવટે બને છે. માટે તે કાયાના પિષણ ખાતર કોણ દુઃખદાયક ભયંકર પાપ કરે? જેને દુર્ગતિના ભાજન થવું હોય તે જ કરે. એટલું જ સાચું અને સુંદર કહી શકાય કે, કાયાની સંભાળ રાખવા સાથે ધર્મની આરાધના કરીને પાપ આવતા બંધ થાય અને પુણ્યને બંધ અગર કર્મ નિર્જરા થાય તે માટે કાયાની સંભાળ રાખવી પડે છે. તે રાખવી. કારણ દેહના આધારે ધાર્મિક કાર્યો બની શકે છે.
For Private And Personal Use Only