________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
–તિરકાર, ધિક્કારને સહન કર્યા. કેટલાક, ધૂળ ઉછાળે છે. કેટલાક લાઠીઓના માર મારે છે. છતાં પણ તે તરફ લક્ષ ન દેતાં આત્યંતર શત્રુઓને હઠાવવામાં પરાયણ બની તથા દબાએલ આત્મિક તાકાતને આવિર્ભાવ કરી તેણે અંતરના શત્રુઓની સામે ઝઝુમીને આત્મવિકાસ સાધે. તે પ્રમાણે સાચા મુનિવર્યો શક્ય પ્રયાસ કરી આત્મિક તાકાતને ફેરવે તે અનુક્રમે અનંત સુખના સ્વામી બને.
જે સાધુવેષ લીધો છે. તેને શૂરવીરે જ ભજવે છે. અને જે બોલ બોલે છે. જે પ્રતિજ્ઞા લીધી છે, તેઓનું પાલન કરવામાં ખામી રાખતા નથી, શક્ય પ્રયાસ કરવા પૂર્વક પ્રમાદ-આળસ કરતા નથી. વિકથા, વિષય વિચારે અને વિકારનો ત્યાગ કરી મોક્ષમાર્ગે સુગમતા-સરલતાસહિત ગમન કરી જન્મ-જરા-મરણને ટાળે છે. સદ્ગુરુબુદ્ધિસાગર સૂરીશ્વરજી ફરમાવે છે કે આવા શૂરવીર સાધુઓ, શિવપુર સન્મુખ મેહ માયાનો ત્યાગ કરી નિરન્તર ચાલે છે. તેથી જ તેમને હૈયા હળી- ચિન્તા–સંતાપાદિક સતાવતા નથી. આધિ-વ્યાધિ ઉપાધિજન્ય વિડંબના વેગળી ભાગતી જાય છે. અને આનંદપૂર્વક મુક્તિમહેલે બિરાજમાન થાય છે. માટે અરે ભાગ્યશાલીઓ ભાગ્યયોગે દેવદુર્લભ મનુષ્ય જન્મ પામી, મેહમમતાયે દબાવી રાખેલ આત્મિક શક્તિને આવિર્ભાવ કરી સત્તામાં રહેલી તે તાકાત દ્વારા શૂરા બની મુક્તિના પંથે સંચર. મુક્તિના પંથે વિચરતા જે-જોઈશે તે મળી રહેશે પેટ–પરિવાર કે પટારાની ચિન્તા વિક
For Private And Personal Use Only