________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમની આજ્ઞા મુજબ વર્તન રાખી આત્માનું કલ્યાણ કરે. આત્મ કલ્યાણ કરવાની તમારામાં તાકાત ભરપુર ભરી છે. પણ આળસને લઈને તાકાતને તમોએ જાણું નથી અને અનુભવી પણ નથી. તાકાત હોય તે પણ આળસે તે શક્તિને દબાવી દે છે. તેથી ઉદ્યમ-સાહસ-પરાકમ જે જોઈએ તેવો થતો નથી. એક આળસુ જેઠ માસમાં મૃગ નક્ષત્રના
ગે કેરીઓથી રચી રહેલા આંબાના ઝાડ નીચે સુતો છે. વાયરાના યોગે પાકેલી કેરીઓ તેની સમીપમાં પડેલી છે. અને પડી રહેલ છે તથા તે આળસુને કેરીઓ ખાવાની પણ અભિલાષા છે છતાં પોતાને હાથ લંબાવતા નથી અને આંબાને કહે છે કે મારા મુખમાં કેરીઓને કેમ નાંખતે નથી. અને મારાથી દુર નાંખે છે, જા, જા, તને જે ત્યારે અબે હાંસી કરતે હોયની શું? તેમ વાયુના વેગે ડાળાં હલાવતે કહે છે હારા જેવા પ્રમાદીના મુખમાં અમે નાંખીયે નહીં. એક તે પ્રમાદી છે અને ઉદ્યમ કર્યા સિવાય તને કેરીઓ આપવામાં આવે તે વધારે એદી બને. આ મુજબ સાંભળી અફસેસ કરતે તે સ્થલે થઈને જતાં ઉંટવાળાને કહે છે કે, અરે ઉંટવાળા મારી પાસે પડેલી કેરી મારા મુખમાં મૂકે તે ઘણે ઉપકાર થશે. ઉંટવાળાએ કહ્યું કે આ ઉપકાર અમે કરતા નથી. તારી પાસે જ પડેલી કેરીઓને સહજ હાથ લંબાવી ગ્રહણ કર. આ એદી કેમ બન્યું છે?
આ પ્રમાણે કહીને ઉંટવાળો ચાલતે થયે. આળસુ
For Private And Personal Use Only