________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭ हाय न खेवी.
(રાગ ઉપરને) કરી જૂલ્મ અનીતિ અને કયારે ન સતાવશે; કદિ હાય ન લેશે કોઈની,-શીખ દિલ લાવશે. સંત સાધુને નિદી પજવી, હાય ન લેશે કયારે; હાય ઉઠી જે ડુંટીથી તે, દુખે આપે ભારેરે. કરી. ૧ માતપિતાને બહુ સતાવી, હાય ન લેશો કયારે સાધુ સતીપર જૂલ્મ કર્યાથી, પાપ ફલે તત્કાલેરે. કરી. ૨ ગૌબ્રાહ્મણને ગરીબ જનની,-હાય કદિ નહીં લેશે દુઃખીઓ પર જૂલ્મ ગુજારી, સુખી કદિ નહીં રહેશે રે. કરી. ગુરૂને દ્રોહ કરી ગુરૂ પજવી, કદિ ના સુખિયા થાશે; ગુરૂની નિંદા હેલના કરીને જડમૂળથી જાશેરે. અતિ ઉગ્ર જે પાપ કર્યો તે, આભવ ફલતાં નકકી; તપસીને સંતાપ ન દેશે, શ્રદ્ધા રાખે પકડીરે. કરી ૫ શકિતથી અશક દબાવી, સંતાપ ન રીબાવે ગરીબ હાય ન નિષ્ફલ જાતી, દિલડું ન કોનું દુઃખારે. કરી. ૬ બાલકસ્ત્રીને સાધુહત્યા, ગર્મહત્યા નહીં કરશે, નિરપરાધીઓને મારી, સુખ શાંતિ નહીં વરશે. કરી છે આંતરડી કકળાવી ભે, થશે ન સુખિયા કયારે, કલંક આળ દઈ જૂઠાં, ચાલે ન નરક રેરે. કરી ૮ નગુરા નાસ્તિક પાપીઓને –ઉપદેશે નહીં લાગે; બુદ્ધિસાગર સમુરા ધમ, સમજી શીખ રહી જાગેરે. કરી. ૯
કરી ૪
For Private And Personal Use Only