________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્ર સમા સહુ લેકે જ્યાંય, અન્યાયે નહીં મુંઝે ક્યાંય. સ્વાર્થે અંધ બને નહી કુત્ર, પ્રજા પ્રેમ જેવો નિજ પુત્ર. ૨૦ ભૂલે તેની માગે માફ, સત્ય પ્રજાને કહેતે સાફ કરે ન મદ, સત્તાના યેગ, મુઝે નહિ ભેગવતાં ભેગ. ૨૧ એવા રાજાએ જ્યાં હોય, વધે ધર્મ ત્યાં નિશ્ચય સાય; પુણ્ય વધે ને ભાવે વૃષ્ટિ, રસક્સ ગુણથી શેભે સૃષ્ટિ. રર વધે ન ખોટા કર અન્યાય, ત્યાં રાજાની શભા થાય; સત્ત્વગુણ રાજા ગુણવાન, ત્યાં વર્તે શાંતિ ગુણ ખાણું. ૨૩ દુર્ગણ વ્યસનથી જે દૂર. જેમાં સત્ય દયાનું નૂર સર્વ પ્રજાનું પાલન થાય, ધર્મ વધે ત્યાં ગુણ સમુદાય. ૨૪ સર્વ નીતિ જ્યાં વર્તાય, પ્રજા ભૂપના સરખા ન્યાય; પ્રજા ભૂપમાં હેય અભેદ, ત્યાં પ્રગટે નહિ સઘળા ખેદ. ૨૫ અરસપરસ હિત ચાહે સર્વ, વિદ્યા લક્ષ્મીને નહિ ગર્વ; સ્વાર્પણ રાજ પ્રજામાં હોય, ત્યાં ચઢતી સહુ ભાવે જેય. ૨૬ એક બીજાના ભિન્ન ન સ્વાર્થ, જીવન વતે જ્યાં પરમાર્થ; મર્યાદા મૂકે નહિ કેય. પ્રજા ભૂપની ચઢતી જેય. ૨૭ ન્યાય નીતિનું જ્યાં નહિ નામ, ત્યાં રાજાનું છે બદનામ; મારી આજ્ઞા માની ચાલ, કર પ્રજાથી મુજસમ હાલ. ૨૮ દુઃસ્વાર્થોને કરવા દૂર. એવું છે રાજાનું નૂર દુષ્ટબુદ્ધિને દૂર કાઢ, દુષ્ટકામને વેગે વાઢય! ૨૯ દુષ્ટના વશ થા નહિ લેશ, અન્યાયથી કર નહિ કલેશ જૈન ધર્મમાં શ્રદ્ધા રાખ, મુખથી સાચાં વચને ભાખ. ૩૦ પુણ્ય કર્મથી સુખડાં થાય, પાપ કર્મથી દુઃખ જણાય; સર્વે પ્રજાને પુણ્ય વાળ, પાપ કર્મને વેગે ખાળ. ૩૧ દેશ પુણ્યથી દેશમાં સુખ, પાપ કર્મથી દેશમાં દુઃખ સર્વ વર્ણમાં પુણ્ય પ્રચાર, સર્વ દેશથી હિંસાવાર. ૩૨ પશુ પંખી વૃક્ષોને રક્ષ, થા માનવ રક્ષામાં દક્ષ જાતે કર સહુ ન્યાયનાં કર્મ, જાતે કર આવશ્યક ધર્મ. ૩૩
For Private And Personal Use Only