________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજનપદ્ય સંગ્રહ
જે જે પ્રમાણિક માનવે તે વેદ છે જગ ચાલતા, તે જીવતા ગમાં રહીને વિશ્વજીવ છવાડતા; જે લાંચ લેતા નહિ કદિ ઉત્તમ જીવનને આચરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નિર્દોષ મનડું વેદ છે સર્વે જીવનું હિત ચહે, પરમાર્થ માટે પ્રાણ દે તે વેદ સાચે જગ કહે પ્રાણે પડે પણ જૂઠપક્ષેામાં ન જાતો જે ભળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જે ભેદભાવ ધરે નહીં ને સર્વનું હિત આદરે, મતભેદ નિન્દાદિક સહી અપકારીનું હિત આચરે; તે વેદમૂત્તિ જીવતી જાગતી જગ હિતકરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સાચા અમારા વેદ અનુભવ શિક્ષણે જે જે મળે, સાચા અમારા વેદ તે છે દુઃખડાં જેથી ટળે, સાચી અમારી વેદમૂર્તિ વિશ્વમાંહિ કેવળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
જ્યાં રાગ નહિ જ્યાં દ્વેષ નહિ જ્યાં વેદકર્તા તે ખરે, તે વેદને પ્રભુ છે ખરે એવા પ્રભુએ અવતરે, તે સત્યના સાગર પ્રભુ અર્ધન વિભુ બ્રહ્મા બળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સામાજીકી પ્રગતિ કરે કલ્યાણ કરવા સર્વનું, તેના હદયમાં વેદ છે જ્યાં નામ નહિ છે ગર્વનું, સહુ જીવના કલ્યાણમાં વૃત્તિ મઝાની હિત ભળી, એવી અમારા વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નિરવલ પ્રભુની ભક્તિમાં કુરણા ઉઠે જે શિવકરી, તે ભાવ વેદે છે સહી અધ્યાત્મભાવે જયકરી; શક્તિ અનંતી ખીલવે નિજ આત્મની વેગે વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
૧૦૨
૧ ઇડ
For Private And Personal Use Only