________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમ.
કામાદિ સર્વે વાસનાઓ જ્યાં નથી તે સિદ્ધ છે, એ સિદ્ધની વાણી વિષે વેદે રહ્યા અવિરૂદ્ધ છે, આગ્રહ તજીને પક્ષને જોશો જરા દિલ ઉતરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વિરૂદ્ધતા નજરે પડે જ્યાં ત્યાં પરસ્પર દેખતાં,
જ્યાં ગ્રન્થમાં ને બેલમાં ઈશ્વરપણું ના પેખતાં; જે જૂઠ તે નહિ વેદ છે ચમકે નહીં મનબળ ભળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જેથી ટળે છે રાગ ને દ્વેષ જ તથા મિથ્યામતિ, તે વેદ શબ્દ બ્રહ્મ છે પ્રગટે સમાધિ જે છતી; સહુ વાસનાઓ જે થકી ક્ષણ ક્ષણવિષે જાતી બળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ઉત્તમ જીવનનાં શિક્ષણે તે વેદવિદ્યા જાણવી, ઉત્તમ જીવન પ્રગતિ કરે તે વેદ શ્રદ્ધા આણવી, નીતિજીવન જેથી વધે તે વેદવિદ્યા ગુણકરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નિર્દોષ જીવન જે કરે તે વેદ સાચા આદરે, નિર્દય વિચારે ક્યાં ભર્યા તે વેદ જૂઠા પરિહર; નિર્દોષ્ય વાણી વેદ છે અમૃતમયી ભાષા ભરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. દુ:ખી હૃદયને ઠારવા આશી: નીકળતી વેદ છે, બ્રહ્મોપયોગી વેદ જ્યાં ત્યાં લેશ પણ નહિ ખેદ છે; બ્રહ્મપયેગી યોગીને વંદુ નમું ચરણે પડી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. વેદ અનાદિકાળથી આત્મપ્રદેશ છે ભર્યા, આત્મા સ્વયં વેદે સહી વ્યક્તિએ તે પ્રગટે ધર્યા આત્મા વિષે જે જ્ઞાન ના તે કયાંય નહિ જોશે જરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
For Private And Personal Use Only