SearchBrowseAboutContactDonate
Page Preview
Page 916
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra GS www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ સ’મહ. આ વિશ્વમાં સહુ પ્રાણીનાં હૃદયા જ મગજો વેદ છે, શુભ વેદ છે નહિ ખેદ છે; જ જે જે અંશે સત્ય તે વેઢા અનન્તા જીવ છે ચૈતન્ય સત્તાથી વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી, ભાસે સમાધિમાં ખરા આનન્દ તે વેદ જ લહા, એ જીવતા મહાવેદ છે એમાં સકલ રાજી રા; આનન્દ કેવલજ્ઞાન તે વેદો પ્રગટતા ઝળહળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. અદ્વૈત આત્મસમાધિમાં વેદો સમાઇ સહુ રહ્યા, ભાષા પરા પશ્યતી મધ્યમ વૈખરીએ તે વહ્યા; વેદો અનન્તા ઉપજતાને વિષ્ણુશતા ક્ષણ ક્ષણ વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. ભાષા અને મન વર્ગણાનાં દલિક, વેદા જાણવાં, પ્રત્યક્ષ જ્ઞાની દેખતા અનુભવ મળે મન આણુવા; આ સર્વ દુનિયા વેદ છે હા જ્ઞેયજ્ઞાતા ભેદથી, એવી અમારી વેટ્ટુની છે માન્યતા નિશ્ચય ખરી. અક્ષર અનક્ષર વેદ છે દેખા ગુરૂ ગમને લહી, સ્યાદ્વાદથી સમજ્યા વિના એકાન્તથી જાગેા વહી; કજીયા કરે! નહિ વેદના નામે કદાગ્રહ આદરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સ્વાતિ અને હરિભદ્રનાં વચના જ વેદ ગુણભર્યા, સર્વજ્ઞ હેમાચાર્યનાં વચના જ વેઢા દિલ ધર્યા; સમમ્યકત્વને ચારિત્ર છે વેદો હૃદય શ્રદ્ધા વરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. પ્રાચીન સઘળું સત્ય નહિ ને જૂઠ પણ નહિ જાણવુ, માધ્યસ્થ્ય રૂપી વેદથી સાચુ હૃદયમાં આવુ; વેદો પ્રગટતા સંપ્રતિ જ્ઞાની હૃદયમાં અવતરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. For Private And Personal Use Only ૨૮ ૨૯ ૩. ૩૧ ૩ર ૩૩ ૩૪
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy