________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૪
ભજનપદ સંગ્રહ
~
~~
~
~-
~-~
-
~-~
૧Y
૧૫
જયાં સત્ય આદિ સદ્દગુણે ત્યાં વેદતા માને ખરે; તે આર્યવેદ સત્ય છે જ્યાં સત્યતા બહુ અવતરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. કલ્યાણકારક પ્રગતિનાં શાસ્ત્રો સકલ વેદે ખરે, સાત્વિક બુદ્ધિ સગુણ આહાર ભક્ષણ શુભ કરે; તે વેદ છે વ્યવહારથીને ધર્મથી જગ ગુણ કરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. અધ્યાત્મજ્ઞાને છલકતાં શાસ્ત્રો જ વેદ છે સહી, શુભ જ્ઞાન નીતિથી ભર્યા ગ્રન્થ જ વેદો છે મહી, સ્યાદ્વાદવેદાન્ત ભર્યા ભક્તિ સરસ જ્યાં અવતરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સાપેક્ષવાદે સકલ તો પ્રકાશે ગ્રન્થમાં, મુક્તિ અનુભવ જ્યાં તે સમતા સમાધિ પત્થમાં જ્યાં આત્મવત્ સહુ જીવની છે માન્યતા જગ જયકરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. સ્યાદ્વાદ અનુભવ જ્ઞાન એ છે જીવતા વેદો ખરે, સમતા સમાધિવંત મુનિ વેદ છે નિશ્ચય વરે; ભાષા પરાથી ઉઠતા તે શબ્દ છે વેદ વળી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. નહિ દુઃખ દેવાનું લખ્યું આ વિશ્વમાં જીવ માત્રને, મારે નહીં કાપ નહીં આ વિશ્વમાં જીવમાત્રને સેવા ભલી જીવમાત્રની પરમાર્થતા જ્યાં બહુ ભરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી. જ્યાં તત્ત્વવિદ્યા બહુ ભરી સાયન્સ વિદ્યા બહુ ભરી, પ્રગતિ સુધારાની ઘણી જ્યાં યોગવિદ્યા અવતરી; સામાજિક પ્રગતિવડે શાન્તિ પ્રતિષ્ઠા આચરી, એવી અમારી વેદની છે માન્યતા નિશ્ચય ખરી.
For Private And Personal Use Only