SearchBrowseAboutContactDonate
Page Preview
Page 908
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૬૮ ભજનપદ્ય સંગ્રહ. anminuman आत्मा गुरु समज्या पछी समजाय बाकी जे रद्यु. અજ્ઞાનીઓ સમજે નહીં જગમાં ગુરૂ શું? તત્વ છે, ગુરૂમાં ખરેખર શું ? રહ્યું આતર ખરૂં શું સત્ત્વ છે, બહુ બાહ્ય આચારવિષે ગુરૂતા કથીને શું ? કહ્યું, આત્મા ગુરૂ સમજ્યા પછી સમજાય બાર જે રહ્યું. કાયા ગુરૂ નહિ જાણવી કાયા વિનશ્વર ક્ષણક્ષણે, વાચા ગુરૂ નહિ જાણવી ક્ષણતાથકી જે રણઝણે, મન પણ ગુરૂ નહિ જાણવું ચંચલપણાને જે લહ્યું; આત્મા ગુરૂ સમજ્યા પછી સમજાય બાકી જે રહ્યું. નહિ ઈન્દ્રિયો પણ સદ્દગુરૂ બુદ્ધિ નહીં સદગુરૂ અો, વ્યવહાર પણ સદગુરૂ નહીં ના વેષ પણ ગુરૂજી લહે; જે દેહમાં વ્યાપી રહી આનન્દથી જે ગહગધું, આત્મા ગુરૂ સમજ્યા પછી સમજાય બાકી જે રહ્યું, બ્રહ્માંડમાં ખેાળી જુઓ આત્મા ગુરૂ નિશ્ચય અહે, આત્માથકી ગુરૂજી મળે નહિ મનથી સમજી રહે; નહિ મનથકી ગુરૂજી મળે જે ક્ષણિકરંએ વહ્યું, આત્મા ગુરૂ સમજ્યા પછી સમજાય બાકી જ રહ્યું. દેખાય નહિ મનથી ગુરૂ કાને નહિ સંભળાય છે, આત્મા ગુરૂથી ગુરૂ મળે અન્તર થકી પરખાય છે; નિશ્ચય ગુરૂ એવા મળે ત્યાં બાહ્યમાં સર્વેસર્યું, બુદ્ધચબ્ધિ આત્મા સદ્દગુરૂ બ્રહ્માંડ સવે છે ભર્યું. સં. ૧૯૭ર જેઠ વદિ ૪ લેદરા. ડિત મા ના વીથ વેરો. . પ્રતિષ્ઠા પૂર્ણ જાળવવા, કરે ઈચ્છા તદા શિક્ષા દઉં તે ધ્યાનમાં રાખે, ભલા ના બાળથી ખેલે. ' For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy