________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૧૪
ભજનપદ્ય સંગ્રહ.
સંસ્કાર છેલ્લા સવના થાતા અહીં દેહતણ, હુકમ ચલાવે નૃપતિ તે શાંત થઈ ગયા અહિં ઘણા; હિસતું જગના લોકને આ પ્રેતવન મંગુ રહી, જમ્યાજ તેની રાખ થાતી દેખશે સર્વે અહીં. ભડભડ થતા ભડકા ઘણુ મડદાંતણી ભસ્મ થતી, કાયા અરે ઘડીમાં બળી હોતી ન હતી થઈ જતી; ચાલે ન કોનું જોર અહીં સર્વે ન હોતા થઈ જતા, બલ બુદ્ધિ જે અહંકાર અહીં નભતે નહીં કોને કદા. કે ગીઓને ભેગીઓના દેહની રાખે થઈ, કે યુવતીઓના દેહની રાખ જ અરેરે થઈ ગઈ; કે જમીન માટે જોરથી શમશેરથી લડતા હતા, તેવા જનેની રાખ અહીં દેખાય ખાધા બહુ ખતા. માતા નહીં જે પૃથ્વીમાં માયા અહિં ત્રણ હાથમાં, મેહે ધમાધમ બહ કરી લીધું ને કંઈએ સાથમાં, ખાલી જવું અને અરે હોયે ન મમતા ત્યાગવી, શિક્ષા કથે ગંભીર થઈ શમશાન જેને માનવી. બહ ધૂમ્રના ગોટા થતા વૈરાગ્યને એ દાખવે, અન્તજ ગેટાળા થતા સંજ્ઞાથકી એ સૂચવે; ઝટ ચેત નર ઝટ ચેત નર અને ન સાથે કંઈ થતું, તે શું ધૂમ્રના લાચકા ભરે હાથે ન આવે કંઈ છતું.
મંદાકાન્તા. કોના બેલે અરઅર અહીં મૃત્યુ પામ્યા પછી રે, એવી ભૂમી જગત તલમાં મૃત્યુ માગે વસી રે; બાળી ભસ્મીભૂંત તન કરે એહ પાછું ન આપે, દેખી આંખે જન મન અરે મેહને કેમ થાપે, ઉંચા નીચા જગ બહુ થતા પાપમાં રક્ત રહેતા, કાળાં કર્મો બહુ બહુ કરી સર્વને જૂઠ કહેતા એવામાં તે તન નહિ રહ્યાં ખાખ ઉડે અહીં રે, કયાં તે જમ્યા નહિ નહિ અરે કઈ જાણે મહી રે.
For Private And Personal Use Only