________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
સુધારો યોગ્ય વર મળી. છે સુધારાવણ નથી પ્રગતિ, સુધારાવણ નથી સુખડાં, સુધારાવણ નથી શાન્તિ, સુધારે યોગ્ય કર સમજી. ખરી દેશેાન્નતિ કરવા, ખરી ધર્મોન્નતિ કરવા; ખરી સંઘોન્નતિ કરવા, સુધારો ગ્ય કર સમજી. ખરી જ્ઞાનેન્નતિ કરવા, ખરી આત્મોન્નતિ કરવા, નવું જીવન પુન: ધરવા, સુધારો ગ્ય કર સમજી. ખરૂં સ્વાતંત્ર્ય ધરવાને, બૂરી પરતંત્રતા હરવા, કદાગ્રહને કરી દરે, સુધારે એગ્ય કર સમજી. સદા સ્વાસ્તિત્વ સંરક્ષા, પ્રવૃત્તિથી પ્રગત થાવા; ધરી સ્વાનુભવો પૂરા, સુધારે યોગ્ય કર સમજી. સમાજોદય સદા કરવા, શુભંકર ઐક્યને ધરવા; અનીતિને પરિહરવા, સુધારે ચગ્ય કર સમજી. ત્યજીને સંકુચિત દૃષ્ટિ, કરી ઔદાર્ય દ્રષ્ટિનું જમાનો ઓળખી હૈયે, સુધારે યોગ્ય કર સમજી. ફરે છે સર્વ પર્યા, રૂપાન્તર સર્વમાં થાતું, અનાદિથી જ આલોકી, સુધારે એગ્ય કર સમજી. જુઓ પાશ્ચાત્ય દેશમાં, પ્રવૃત્તિઓ ભલી કેચિત્; બન્યા સ્વતંત્ર તેથી તે, સુધારે એગ્ય કર સમજી. થતી સ્વાભેન્નતિ જેથી, ખરેખર દ્રવ્યને ભાવે; પડાતું ના કદી પાછું, સુધારે યોગ્ય કર સમજી. પ્રવેશ્યા બહુ કુધારાઓ, અહાહા બાળ લગ્નાદિ; થઈ પડતી અરે તેથી, સુધારે ગ્ય કર સમજી. વધે પાછું પુન: જસુ, ટળે અજ્ઞાનતા સહુની; ખરી એવી પ્રવૃત્તિને, સુધારે એગ્ય કર સમજી. સુવિદ્યાઓ વધે જેથી, અવિદ્યાઓ ટળે જેથી; સદા સર્વત્ર શાન્તિને, સુધારે યોગ્ય કર સમજી.
For Private And Personal Use Only