SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯ વા મિથ્યાદ્રષ્ટિ છે, ધૃતિ છે. ધૃતિ એ ચારિત્ર ગુણરૂપ છે જેને મનીષા બુદ્ધિ છે. જેને નૂત અર્થાત્ દુખતા છે. જેનામાં સ્મૃતિ છે, સંકલ્પ છે, જે યારૂપ છે, અર્થાત્ પરમાત્મ પૂજા સ્વરૂપ જ્ઞાનમય છે, જેને પ્રાણ છે, દશ પ્રકાસ્ના દ્રવ્યપ્રાણુ છે. અને જ્ઞાનાદિ ભાવ પ્રાણુ છે, જેને કામ અર્થાત ઈચ્છા છે એવો આત્મા કયો છે તો જણાવે છે કે તે સર્વનામો જેને લાગુ પડે છે તે પ્રજ્ઞાન બ્રહ્મ છે અથત જ્ઞાનમય આત્મા છે. શ્રી મહાવીર પ્રભુએ નંદિ સૂત્રમાં તથા આચારાંગ સૂત્રમાં આત્માનાં જે લક્ષણે જણાવ્યાં છે તે આત્મામાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન મનઃપવજ્ઞાન અને કેવલજ્ઞાન એ પાંચ પ્રકારનાં જ્ઞાન છે. મહિનાનાવરણીય કર્મના ક્ષપશમથી મતિજ્ઞાન પ્રગટે છે. શ્રુતજ્ઞાનાવરણીય કર્મનાક્ષપશમથી મૃત જ્ઞાન પ્રગટે છે, અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષપશમથી અવધિજ્ઞાન પ્રગટે છે. કેવલજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી સર્વય ભાસક કેવલજ્ઞાન પ્રગટે છે. મતિજ્ઞાનના અઠાવીશ ભેદ છે. શ્રુતજ્ઞાનના ચઉદ, વીશ ભેદ છે. અવધિ જ્ઞાનના અસંખ્ય ભેદ અને મુખ્ય છ ભેદ છે. જ્ઞાનાવરણીય કર્મના સર્વથા નાશથી કેવલજ્ઞાન પ્રગટે છે. આત્મા મતિજ્ઞાનની ઇન્દ્રિવડે સ્પશદિ જાણે છે. હૃદય, મન, સંજ્ઞાન. અજ્ઞાન એ મતિ જ્ઞાનનાં નામે છે. એમ તત્ત્વાર્થ સૂત્રમાં આચારાંગ સૂત્રમાં, વિશેષાવશ્યકમાં વગેરે અનેક આગમાં જણાવ્યું છે. વિજ્ઞાન પ્રજ્ઞાન, મેઘા, દષ્ટિ, મનીષા, જૂતિ, સ્મૃતિ, સંક૯૫, વિગેરે મતિજ્ઞાનના અને શ્રુતજ્ઞાનનાં ભેદે છે. પ્રજ્ઞાનરૂ૫ આત્મામાં જે જે લાયોપથમિક જ્ઞાનનાં ભેદે છે તેને ઐતરેયોપનિષદ્દમાં વિચાર કર્યો છે, પરંતુ જેનાગોમાં તેને પરિપૂર્ણ સ્પષ્ટ નિર્ણય શ્રી કેવલજ્ઞાની મહાવીર પ્રભુએ કર્યો છે. જ્ઞાનાવરણીયકર્મના ક્ષપશમના અસંખ્યાત ભેદે આત્મામાં ઉન્ન થનાર જ્ઞાન પણ અસંખ્ય પ્રકારનું છે. વિશેષાવશ્યક સૂત્રમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનના વિવેચનમાં લગભગ દશ હજાર બ્લેક બાર હજાર લેક ગયા છે તે ઉપરથી અધ્યાત્મજ્ઞાનમય જૈનાગની મહત્તાને વાચકોને ખ્યાલ સહેજે થાય છે. વેદશ્રુતિ આત્માનું નીચે પ્રમાણે સ્વરૂ૫ વર્ણવે છે:–અરજીયન મતોમયાન, કશુરામાંતસાવિતવ્ય કૂમતમતર નિયં. ઉપરની કૃતિમાં મતભેદથી શંકરાચાર્યની અને રામાનુ જ વૈષ્ણવી આચાર્યની મતભિન્નતા થઈ છે. શંકરાચાર્ય કહે છે કે બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે ત્યારે રામાનુજાચાર્ય કહે છે કે આમાં અણુ છે. અંગુષ્ટ માત્ર છે. શંકરાચાર્ય કહે છે કે અણુરૂપ આત્મા માનવામાં આવે તે તેથી દેહમાં સર્વત્ર સંવેદનાનો અનુભવ થઈ શકશે નહીં. ઇત્યાદિ અનેક દુષણે આપે છે. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy