SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જડ પદાર્થોમાંથી હું પણાને અભ્યાસ ટળે તેથી તેને પ્રણાલિમ. હું બ્રહ્મ છું. શુદ્ધાત્મા છું, પરમાત્મા છું. રાગદેવ પરહિત બ્રહ્મ છું. કેવલજ્ઞાનરૂપ બ્રહા છું. એવી આત્મસત્તાને સત્તાગ્રાહક સંગ્રહનય દૃષ્ટિથી અનુભવ છે. આત્મા પૂર્વે અજ્ઞાન દશામાં બહિરામદશારૂપ (વેદાંત દ્રષ્ટિએ જીવદશામાં)મિથ્યાત્વથી આત્માનું શુદ્ધ સ્વરૂપ અનુભવતો ન હતો અને તેથી મિથ્યા દ્રષ્ટિપણાથી શરીર તે હું, પ્રાણ તે હું મનને તે હું, અને મન વડે ઉન્ન થનાર બુદ્ધિ વિજ્ઞાન કે હું એવી અશુદ્ધતામાં શુદ્ધ બ્રહ્મ ભાવને માનતો હતો, પરંતુ ગુરૂના બોધથી તાવમસિ વાક્યનું જ્ઞાન થવાથી અહંક્ષારિ અથત હું બ્રહ્મઆત્મા છું આત્મા વિના અન્ય કોઈ જડપદાર્થરૂપ હું નથી એમ નિશ્ચય કરે છે અને રાગદ્વેષ વૃત્તિઓમાં હું મમત્વ કલ્પાયલું હતું તેનાથી મુક્ત થાય છે. બ્રહ્મ શબ્દવડેરાનમય આત્માનું ગ્રહણ કરવું, કારણ કે જ્ઞાનને આત્મા અભેદ દ્રષ્ટિથી કરવામાં આવ્યો છે –સચજ્ઞાનમનનતંત્ર એ વેદ શ્રુતિથી સત્યજ્ઞાન, અનંત બ્રહ્મને નિશ્ચય થાય છે, અનન્તજ્ઞાન સ્વરૂપ બ્રહ્મ છે, કર્માવરણથી ઢંકાયેલા એવા અનન્ત બ્રહ્મનો ગુરૂ કૃપા વિના અનુભવ આવતો નથી, સત્ય જ્ઞાનરૂપ અનંત જ્ઞાનરૂપ બ્રહ્મ અર્થાત્ આત્મા છે, અનંત જ્ઞાન દર્શનથી વધે છે. વ્યાપે છે તેને બ્રહ્મ કહેવામાં આવે છે. સામવેદમાં સર્વ જ્ઞાનના સારરૂપ વાકયથી જણવામાં આવ્યું છે કે ઝયમમાદ્રા આ ઔદારિક, તૈજસ અને કાર્મણ શરીરમાં વ્યાપી રહેલે આમા તે જ બ્રહ્મ છે. જે સ્વપરનો પ્રકાશક છે તે આત્મા છે. સ્વ એટલે આત્મતત્વ અને પરજડતત્ત્વ એ બે તવને સ્વયં પ્રકાશક આત્મા બ્રહ્મ છે. દેહમાં રહેલે આત્મા બ્રહ્મ છે. એમ મહા વાકય પોતાના પિંડમાં અનંત બ્રહ્માંડલકા લોકપ્રકાશક આત્માનો નિશ્ચય કરાવે છે. તમે બ્રહ્મ અર્થાત આત્માને શોધવા કયાં જાઓ છે ? શરીરમાં વ્યાપી રહેલે અનંત બ્રહ્મરૂપ આત્મા છે. કેવલજ્ઞાનને અનંત બ્રહ્મ કહેવામાં આવે છે. કેવલજ્ઞાન તે સત્ય જ્ઞાન છે કારણ કે કેવલજ્ઞાનરૂપ સત્ય જ્ઞાન પ્રાપ્ત થયા પશ્ચાત કઈ બાબતની બ્રાતિ રહેતી નથી, માટે કેવલજ્ઞાની સર્વજ્ઞ પરમાત્મા ગણાય છે અને તેથી તે જે તત્વજ્ઞાનને ઉપદેશ આપે છે તે જ વેદ સૂત્રો જાણવાં. શ્રી મહાવીર પ્રભુએ કેવલજ્ઞાનથી ઉપદેશ આપ્યો હતો. માટે તેમની વાણીને વેદવાણી કહેવામાં આવે છે. શ્રી વરપ્રભુની વાણમાં સર્વ સત્ય જ્ઞાનના વચને છે, માટે તેને મૂકીને જેને અન્યત્ર સર્વજ્ઞતા શોધતા નથી. પ્રજ્ઞાતંત્રહ્મ પ્રકૃષ્ટતાન, ઉત્કૃષ્ટતાન, જે ક્ષાયિક કેવલજ્ઞાન કે જે જ્ઞાનાવરણીય કર્મોને સર્વથા નાશ થવાથી આત્મામાં જ્ઞાન પ્રગટે For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy