________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ભજનપદ્ય સંગ્રહ.
નથી લેવું નથી દેવું, અધિકારે સદા રહેવું પડે તે દુ:ખને સહેવું, અદા કર ફર્જ પોતાની, ભલે માને ન વા માને, જગત્ની ધાર ના પરવા; પ્રસંગે કાર્ય કરવાની, અદા કર ફર્જ પિતાની. ધરી ના ચિત્ત નાદાની, અધિકારી સ્વય માની પ્રસંગોપાત્ત કરવાની, અદા કર ફર્જ પિતાની. ત્યજીને સપ્તભીતિ, ત્યજીને કૂટ નીતિઓ; રહી જે ચિત્તમાં છાની, અદા કર ફર્જ પિતાની. બનીને સ્વાશ્રયી ભાવે, અચલ વિશ્વાસના દાવે; ત્યજી બકવાદની વૃત્તિ, અદા કર ફર્જ પોતાની. હૃદય નિર્લેપતા ધારી, અહંતાવાદને વારી, જરા પાછી ન કર પાની, અદા કર ફર્જ પિતાની. ત્યજીને હર્ષની વૃત્તિ, ત્યજીને શેકની વૃત્તિ સ્વભાવે સામ્યતા ધારી, અદા કર ફર્જ પિતાની જુવે શું? પાછું વાળીને, નકામું વિશ્વ મહાલીને, પ્રતિજ્ઞા પૂર્ણ કીધાની, અદા કર ફર્જ પિતાની. જુવે પાછું નહીં જ્ઞાની, જુવે પાછું નહીં થાની, જુવે પાછું નહીં તાની, અદા કર ફર્જ પોતાની. ગતિ છે એર શૂરાની, નહીં તેવી અધુરાની; વિચારી વાત જે જાની, અદા કર ફર્જ પિતાની. ધરીને વૃત્તિ સમતાની, અરે એ તત્ત્વ મસ્તાની કરી જે વાત મેં માની, અદા કર ફર્જ પિતાની. ત્યજી શંકા બની બંકા, ત્યજી દે ભાવ જે રંકા; બની કર્તવ્યને યાની, અદા કર ફર્જ પિતાની. જણાવું છું ભલા માટે, કરી લે શીર્ષના સાટે;
For Private And Personal Use Only