SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ ગણાય છે. જ્યાં રાજ્ય સત્તાક નીતિ ટળી ગઈ હોય એવા કાન્સ દેશમાં અને અમેરિકા દેશમાં રાજ્યસત્તાક ધર્મ તે અનીતિ તરીકે ગણાય છે અને જયરાજ્યસત્તાક રાજ્ય પ્રવૃત્તિ છે એવા અરબસ્તાન વગેરે દેશમાં પ્રજાસત્તાક રાજ્ય નીતિને કોઈ સ્થાપવા પ્રવૃત્તિ કરે છે, તે તે અનીતિ ગણાય છે અને તેવી અનીતિ પુનઃ નીતિરૂપે પણ ગણાય છે. સર્વ લેટેમાં એક સરખી નીતિની માન્યતા હોતી નથી. ઈંગ્લાંડમાં એક કાલે પ્રજાસત્તાક રાજ્યની સ્થાપના કરનારાઓને તાપને મેંઢ ઉડાડી દેવામાં આવતા હતા, તે વખતે લોકોએ અનીતિ કરીએમ કહેવાતું હતું. હાલમાં તે કાના બાવલા પૂજાય છે. અને હાલમાં તે વખતે મરીજનારા કે ખરા નીતિ ધર્મ ચુસ્ત હતા એમ મનાય છે, મનુષ્યકૃત નીતિ સદાકાલ પરિવર્તને પામ્યા કરે માટે સર્વ પ્રકારની નીતિનું જ્ઞાન કરીને દેશકાલાનુસાર યોગ્ય નીતિના પાલક બનવું જોઈએ. જે કુકતીનીતિયો છે તેમાં કેનાથી ફેરફાર થતું નથી. સ્ત્રી ગર્ભ ધારણ કરે એવી કુદતી નીતિ છે તેને કેઈ દૂર કરવા શકિતમાન થતો નથી. નૈસર્ગિક નીતિનું પ્રાબલ્ય તો પશુઓ પર અને પંખીઓ પર તથા વનસ્પતિઓ પર પણું વર્તે છે. તેમાં કઈ ફેરફાર કરવા શકિતમાન થતો નથી. ગમે તે દેશકાલમાં મનુષ્યોને સુધા લાગે છે, માટે તેઓએ ભેજન ખાવું જોઈએ એમાં કઈ ફેરફાર કરનાર નથી. કુકતિ નીતિયોમાં જે વિકાર થાય છે તો દુનિયામાં પ્રલય થાય છે. સર્વ પ્રકારના મનુષ્ય માટે એક સરખી વ્યાવહારિક નીતિ હોતી નથી. ઉપર્યુક્ત નીતિનું સ્વરૂપ ખાસ ગીતાયે ગુરૂ પાસે સમજવું જોઈએ. નીતિનું સ્વરૂપ અવધીને દેશકાલાનુસારે અલ્પ હાનિ અને બહુ લાભ થાય એવી મુખ્ય દ્રષ્ટિએ આવશ્યક નીતિ પ્રમાણે સંસાર વ્યવહારમાં તથા ધર્મમાં પ્રવર્તવું જોઈએ. નીતિનું સ્વરૂપ પરિપૂર્ણ જાણ્યા વિના આર્ય લેકની પડતી થઈ.નીતિનું સ્વરૂપનહીં જાણવાથી અનીતિને પણ નીતિ તરીકે સ્વીકારીને હિંદુ રાજાઓએ કન્યાઓનું હરણ કરી પરસ્પર લડી નબળા પડયા, તથા આયાવર્તન લેકએ ધર્મ તંત્રમાં નીતિના નામે અનીતિને આશ્રય લીધે તેથી જેવું કર્યું તેવું તેઓ પામ્યા. હવે તેઓએ સમજવું જોઈએ. નીતિના જ્ઞાન વિના અજ્ઞાની મનુષ્યો પરસ્પર લડી મરે છે, અને પોતાની ઉન્નતિ પર પિતાના હાથે કુહાડ મારે છે. રાજ્ય નીતિમાં રાજ્યનીતિ પ્રમાણે પ્રવર્તવું જોઈએ, પરંતુ તેમાં ધર્મ શાસ્ત્રોના ધર્મને આડો લાવીને પરસ્પર કામેએ લડી મરીને રાજ્યની પાયમાલીની સાથે પિતાની પાયમાલી ન કરવી જોઈએ. આ બાબતમાં બ્રિટીશ રાજ્યનીતિની પ્રસંશા કર્યા વિના ચાલે તેમ નથી. બ્રિટીશ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy