SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ રહ્યું, એમ ઈતિહાસથી સિદ્ધ થાય છે. ચેહાણોએ રાજ્ય નીતિ ધર્મને ત્યાગ કરવા માંડે, ત્યારે દિલ્હીના રાજ્યથી ભ્રષ્ટ થયા. શિવાજી પછીથી થનારા મરાઠઓએ અનીતિ આચરવા માંડી ત્યારથી પેશવાની પડતી અને મરાઠી રાજ્યની પડતીને પ્રારંભ થયો. પૂર્વે ઇરાનના બાદશાહોમાં અનીતિએ પ્રવેશ કર્યો, ત્યારથી તેઓની પડતી થઈ. ઈછના રાજાઓમાં અનીતિએ પ્રવેશ કર્યો ત્યારથી તેઓની પડતી થઈ. બ્રાહ્મણોએ ઢેઢ ભંગીઆ વપર ઘણી તિરસ્કાર પૂર્વક અનીતિ આચરવા માંડી તેથી તેઓ હવે નીચ વર્ણના શાપથી કેટલાક અધોદશામાં આવવા લાગ્યા. બોદ્ધોના સાધુઓમાં અનીતિએ પ્રવેશ કર્યો ત્યારથી મુખ્ય કારણે હિંદુસ્થાનમાંથી જવું પડયું. શંકરાચાર્યના સન્યાસીઓમાં અનીતિ પેઠી તેથી રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્ય વગેરેના પંથે પ્રગટયા. ગૃહસ્થ જેનેએ વ્યાપાર વગેરેમાં જ્યારથી અનીતિ સેવવા માંડી ત્યારથી તેઓની પડતી થવા લાગી. બેયમે આફ્રિકાના કંગાલ પર જુલ્મ ગુજાર્યો તેનું ફલ તેને બેગવવું પડયું. જેવું શુભ વા અશુભ કર્મ કરવામાં આવે છે તેનું ફળ તેવું મળે છે એવા ઇશ્વરી કાયદો છે, તે કેાઈને ટાળ્યો ટળતો નથી. અનીતિ આચરનારા યાદવેને પણ પરસ્પરના યુદ્ધથી નાશ થયે, માટે અનીતિને ત્યાગ કરીને નીતિ પાળવાની જરૂર સ્વીકારવી જોઈએ. નીતિના અનેક પ્રકાર છે. આર્યદેશનીતિ, અનાર્યદેશનીતિ, ચોથા આરાનીતિ, પાંચમાઆરાની કલિયુગની નીતિ, બ્રાહ્મણધર્મ નીતિ, ક્ષત્રિયધર્મનીતિ, વૈશ્યધર્મનીતિ, શુક્રધર્મનીતિ, પ્લેચ્છનીતિ, પ્રજાસત્તાકરાજ્યનીતિ, રાજાપ્રજા સત્તાક રાજ્યનીતિ, પ્રજાસત્તાકનીતિ, વ્યાપારનીતિ, પ્રાચીનનીતિ, અર્વાચીનનીતિ, ચાણકયનીતિ, મનનીતિ, શુક્રનીતિ, વૈદિક ધર્મનીતિ, કરાનધર્મનીતિ, ધધર્મનીતિ, યાહુદિધર્મનીતિ, જેનાર્યનીતિ, જરથોસ્તધર્મનીતિ લૌકિકનીતિ લોકોતરનીતિ પુણ્યનીતિ, પાપનીતિ, ન્યાયનીતિ અનીતિ, શુભનીતિ,અશુભનીતિ રાજ્યતંત્રનીતિ, ધર્મરાજ્યતંત્રનીતિ, જ્ઞાનીનીતિ, અજ્ઞાનીનીતિ, દેશભેદનીતિ, કાલભેદનીતિ,ઔત્સકિનીતિ, અપવાદિકનીતિ,ગૃહસ્થ ધર્મનીતિ, ત્યાગધર્મનીતિ, સ્વજાતિનીતિ,પરજાતિનીતિ, પનોતિ, આર્યનીતિ, વ્યાવહારિકનીતિ, નૈઋયિકનીતિ, સદ્ભૂતનીતિ, ઔપચારિનીતિ, હાનિકરનીતિ, સુખકરનીતિ, ઉચિતનીતિ,અનુચિતનીતિ, આસનીતિ,અનાસકથિતનીતિ, આપત્તિકાલનીતિ, વ્યક્તિનીતિ, સમષ્ટિનીતિ,ધર્મનીતિ અધનીતિ, યુદ્ધનીતિ, સેવાધર્મનીતિ, રવામિનીતિ, સેવકનીતિ, સાધુધર્મરક્ષક નીતિ, મહજનનીતિ, ઔપચારકનીતિ, સામદામ દંડભેદનીતિ,આવશ્યનીતિ, દેશનીતિ, ભાષાનીતિ, વેષનીતિ, ઈત્યાદિ સહશ્ર ભેદેવડે નીતિનું નિરૂપણ કરાય છે. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy