SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 3. Acharya Shri Kailassagarsuri Gyanmandir તત્ત્વમાં પણ ખામી આવી છે. ભારતવર્ષમાં અપ્રમત્ત યાગી ગુરૂ પ્રકટવાની ધણી જરૂર છે. અપ્રમત્ત યાગી આત્મજ્ઞાની ગુરૂ પ્રગટયા વિના ભારતીય લેાદાની ચડતી થવાની નથી. આત્મજ્ઞાનથી લેાકેામાં પ્રસરેલા ખાદ્ય ક્રિયાકાંડ ભેદોને ટાળી લેાકાની દ્રષ્ટિયાને સુધારનારા ગુરૂએની ઘણી ખામી પડી છે અને ગુરૂની શ્રધ્ધામાં ભારતવાસીઓ ચંચલ મનના થઈ ગયા છે. સ લેાકેાને ગુરૂની એક સરખી શ્રધ્ધા હોતી નથી. પરંતુ કહેવાનુ` એટલુ છે કે આત્માની શુધ્ધતા માટે જેણે જે ગુરૂ માન્યા હોય તેવા ભક્તાએ વા શિષ્યોએ પૂર્ણ શ્રધ્ધાથી ગુરૂ પ્રતિ વવુ જોઇએ, જેટલી શ્રધ્ધામાં ખામી છે તેટલી આત્મસુધારણામાં શિષ્યાનેભકતાને ખામી રહે છે. એક શ્રધ્ધા હોય છે તેા તેથી અનેક ગુણી પ્રકટયા વિના રહેતા નથી. મેધની વૃષ્ટિની સાથે ઉત્પાળના તાપથી તપેલી પૃથ્વીમાં ધાસ વનસ્પતિ ઉગી નીકળે છે અને મેત્રની વૃષ્ટિના અભાવે તે સુકાઇ જાય છે, તેની પેઠે ગુરૂશ્રધ્ધાની સાથે અનેક ગુણે પ્રગટવા માંડે છે અને ગુરૂશ્રધ્ધાની ઢીલાશની સાથે વા તેના નાશની સાથે આત્મગુણી પ્રગટયા હોય છે તે પશુ ટળવા માંડે છે અને આત્મગુણાના નાશ થાય છે. પ્રતિજ્ઞા, પ્રામાણ્ય, આત્મવિશ્વાસ વગેરેના નાશ થાય છે તેથી આત્મબળમાં તથા વ્યવહાર સ્થિરતામાં પણ ન્યૂનતા આવે છે. માટે સદ્દગુરૂ શ્રધ્ધારૂપ મેષ્ટિને નાશ ન કરવા જોઇએ. શ્રધ્ધારૂપ પૃથ્વી વિના સર્વ ગુણારૂપ આધેયા કયાંય ટકી શકતા નથી. આધાર વિના આધેય નથી તેમ ગુરૂશ્રધ્ધા વિના હૃદયમાં ધમ પ્રકટતા નથી જે ભકતા શિષ્યા બનીને ગુરૂથી ભેદ રાખે છે તે ખેદને પામે છે, પરંતુ ધર્મને પ્રાપ્ત કરી શકતા નથી, જેઓ ગુરૂથી પોતાનું હૃદય છાનું રાખે છે, પોતાના હૃદયને ગુરૂની આગળ પૂર્ણ ખુલ્લું કરતા નથી તે ગુરૂનુ હેય પ્રાપ્ત કરી શકતા નથી. જેએ ભકતે વા શિષ્યા ખનીને ગુરૂથી અભેદરૂપે પરિણમતા નથી તે ગુરૂનું હૃદય લેઇ શકતા નથી. જેએ ગુરૂ કરતાં બાહ્ય લક્ષ્મી, સત્તા, કીર્ત્તિ, લેાકવાયકા વગેરેને વિશેષ મહત્ત્વના ગણે છે, તે ગુરૂ શું ચીજ છે તે સમજવાને પણ અધિકારી બન્યા નથી. જે અન્ય લેાકેાના કહેવાના અનુસારે ગુરૂ કરે છે અને ત્યજે છે તેઓ હૃદયના શૂન્ય અને કાન વિનાના સમજવા. ગુરૂની પાસે ઘણું વસી ગુરૂના જ્ઞાના અનુભવ જેઓ કરે છે, તે ઉત્તમ શ્રધ્ધાળુ જાણુવા, ગુરૂમાં નામવાસના, કીર્ત્તિવાસના વગેરે વાસનાએના લય કરીને ગુરૂમાં સર્વ શ્રેમરૂપ પેાતાના આત્માને દેખે છે તેવા ભકતા-શિષ્યા, શ્રધ્ધાના પગથીએ પગ મુકી શકે છે. ઉપર પ્રમાણે ગુરૂશ્રધ્ધા સબંધી કહેવામાં આવ્યું. ગુરૂભક્ત શિષ્ય નવાને માટે નીતિ ગુણાની પ્રાપ્તિની જરૂર છે. નીતિના ગુણ પ્રાપ્ત કર્યાં વિના ગુના For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy