________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૬
ભજનપદ્ય સંગ્રહ.
જન
*
*
*
+ अध्यात्मनो जयकारक व्यवहार. -
અધ્યાત્મજ્ઞાની યોગ્ય ધરે વ્યવહાર, પામે નહીં કદી હાર.
અધ્યાત્મ વિશાલ દષ્ટિ રાખતો રે, ગંભીર મનને ઉદાર; અનુભવ પામે આત્માને રે, કરે નહીં સંસાર. અધ્યાત્મ. ૧ આત્મશુહાપર્યાયમાં રે, રાખે નિજ ઉપગ; વ્યવહાવતે તથાપિ, ચાખે નિજ ગુણ ભેગ. અધ્યાત્મ. ૨ લેપ વિના કરણું કરે રે, અધિકારે નિજ સર્વ સૈમાંહી સહુથી સદા રે, ત્યારે ધરે નહિ ગર્વ. અધ્યાત્મ. ૩ બંધાતા રૂઢિ બંધને રે, નહિ અન્તમાં બંધ, રૂઢી બંધન વ્યવહારમાં રે, વતે થઈ નહિ અંધ. અધ્યાત્મ. ૪ નિરહંવૃત્તિમય થઈ રે, પાળે બાહ્યાચાર, અન્તર્ નિજગુણ લક્ષ્યમાં રે, જલપંકજવત સાર. અધ્યાત્મ. ૫ શાતાશાતા વેદની રે, ભેગે નહીં મુંઝાય; સહજ શુદ્ધ નિજ ધર્મમાં રે, પૂર્ણ રમણતા પાય. અધ્યાત્મ. ૬ કુશલ સહુ વ્યવહારમાં રે, ઠગે કદી ન ઠગાય; બુદ્ધિસાગર જ્ઞાનિની રે, કરણું અગમ્ય ગણાય. અધ્યાત્મ. ૭ પિષ વદિ ૮ સેમવાર.
For Private And Personal Use Only