SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ સંપ્રતિરાજા થયો. તેણે તેના ગુરૂ જૈનાચાર્યશ્રી આર્યસુહસ્તિના ઉપદેશથી અનેક જૈનમંદિર બંધાવ્યાં. આર્યાવર્તમાં સર્વત્ર સાધુઓની અને સાધ્વીઓના વિહારની પ્રવૃત્તિધારા સર્વ લેકને સહેજે ઉપદેશ મળે એવી વ્યવસ્થા કરી. આર્યસુહસ્તિગુરૂએ સંપ્રતિ રાજાને શુભપુણ્ય કાર્યોની સેવાનો ઉપદેશ આપ્યો તેથી તેણે હજારે પાંજરાપોળે બંધાવી તથા હજારો દાનશાળાઓ બંધાવી, હજારે દવાખાનાં બંધાવ્યા, અનાર્ય દેશમાં ધર્મની પ્રસારણ કરાવી અને લાખો-કરોડો અનાર્ય લેકેને સાત વ્યસનથી રહિત કર્યા. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના ભરતાદિ પુત્રોએ સર્વ છની દયા પાળવી વગેરેનો સર્વ દેશોમાં પ્રચાર કરાવ્યું. વીસમા તીર્થકરના ભકત શ્રી રામચંદ્ર વિશ્વ ની સેવામાં શુભ પ્રવૃત્તિ કરી. બાવીસમા તીર્થકર શ્રી નેમિનાથના ભકત રાજા શ્રી કૃષ્ણ સર્વ જી ની દયા પાળવાને પિતાના રાજ્યમાં બંદેબસ્ત કર્યો. શ્રી કૃષ્ણ જે મનુષ્યો ત્યાગી થાય તેનાં માબાપની સેવા પાત કરી અને ત્યાગીઓની વૃદ્ધિવડે સર્વ દેશમાં દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય આદિ ધર્મોને પ્રચાર કરાવ્યો. ત્રેવીસમા તીર્થંકરના વંશી તાક્યું રાજાઓએ દયા આદિને પ્રચાર કરવા પ્રયત્ન કર્યો અને મનુબે-પશુઓ પંખીએની દયા પળાવવામાં રાજ્યસત્તાના ઉપગ કર્યો. તાઠ્યવંશી જેમ રાજા ઓએ ભારતમાંથી જાપાન તરફના માર્ગે થઈ અમેરીકામાં (પાતાલમાં) પ્રવેશ કર્યો હતે. આજથી અઢી હજાર વર્ષ પર થનાર શ્રી ચોવીસમા તીર્થંકર મહાવીર પ્રભુએ સર્વ જીવોના ઉદ્ધારા ઉપદેશ દીધો અને દુર્ગુણરૂપ દૈને પરાજય કરી ધર્મ તીર્થની સ્થાપના કરી. શ્રી મહાવીર પ્રભુના ભક્ત શ્રેણિક રાજા, ચેટકરાજા, ઉદાર્યરાજા, વાત રાજા, પ્રસન્ન ચંદ્રરાજા આદિ અનેક ભારત દે. શીય રાજાઓએ સર્વ જીવોના કલ્યાણાર્થે પ્રવૃત્તિ કરી અને સર્વ જીવોને શાંતિ રહે એવી રીતે રાજ્ય ધર્મ સેવા કરી. આ પ્રમાણે સેવા ધર્મ કરનારાઓનાં અનેક દષ્ટતિ ઈતિહાસના પાને મૌજુદ છે. ભદ્રબાહુ, ઉમાસ્વાતિ, શ્યાયાચાર્ય બપ્પભટ્ટ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રી હરિભદસૂરિ અને અકબર બાદશાહને પ્રતિ બોધીને દયાધર્મને રંગ ચઢાવનાર શ્રી હીર વિસૂરિ, કુંદકુંદાચાર્ય, જૈન મહારાજા ખારવેલ વગેરે અનેક મહા પુરૂષોએ અનેક રીતે મનુષ્યના કલ્યાણાર્થે પ્રવૃત્તિ કરી છે. જેનું વર્ણન કરતાં પાર આવી શકે તેમ નથી. સેવા ધર્મમાં પ્રવૃત્ત થનારા ત્યાગીઓ અને ગૃહસ્થ કર્મ યોગીઓ ગણાય છે. જૈન ધર્મની સેવા કરવાથી જૈન ધર્મને પ્રચાર થાય છે અને તેથી વિશ્વ માં દયા વગેરે સદગુણેને પ્રચાર થાય છે, એવું નૈનોપનિષદ્ર માં જણાવવામાં આવ્યું છે. ગમે તે ધર્મને For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy