SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ નામે યુરોપીય મહાયુદ્ધની પેઠે જીવનાશક યુદ્ધો પ્રારંભે છે માટે જેણે સેવાપ્નમ અંગીકાર કરવા હાય, તેણે રજોગુણીઆહાર અને તમે ગુણીઆહારના તથા રોગુણી તમાગુણી વચારાના ત્યાગ કરવા જોઇએ અને સત્વગુણીઆહાર તથા સત્વગુણી વિચારેને સેવવા જોઇએ. રજોગુણી અને તમેગુણી આહાર વાપરનારા વિશ્વમાં કાઇ પણ શુભ સેવામાં કલેશાદિ દોષો સેવ્યા વિના રહેતા નથી. રજોગુણુ અને તમેગુણના નાશ કરવાથી સાત્વિક બની શકાય છે. સ્વાત ગંગાયજ્ઞે જ્ઞાનમ્ સત્વગુણી વિચારાહારથી આત્મજ્ઞાન પ્રકટે છે અંતએવ મનુષ્યાએ શુભ સેવા ધર્માંમાં પ્રવવા માટે સાત્વિક બનવું જોઈએ. જે જે આ ઋષિયા થયા, તીર્થંકરા થયા, તેઓએ રજોગુણી તમાગુણી આહારના ત્યાગ કરીને વિશ્વજનાને મેાક્ષમા દર્શાવ્યા છે, અનેક પ્રકારના પરિણામે દુ:ખ દેનારા એવા વૈયિક ભાગાના ત્યાગ કર્યા વિના પરમાર્થ કાર્ય રૂપ સેવામાં પ્રવૃત્તિ થતી નથી. ગમે તે રીતના આત્મભાગ આપ્યા વિના સેવક બની શકાતું નથી. જે પાપ કર્મ માં પ્રવૃત્તિ થાય છે તે અશુભ સેવા છે. હિંસા કરવી, યુદ્ધો કરી મનુષ્યાના, પશુઓના સંહાર કરવા, ચારી કરવી, પાપકર્મ કરવાં. વ્યભિચાર કર્મ કરવુ,જીવાને ઘાત કરી અત્યંત લક્ષ્મી ભેગી કરવી. વિશ્વાસઘાતનાં કર્મ કરવાં, અશુભ રાગ દ્વેષની વૃદ્ધિનાં કાર્યો કરવા, યજ્ઞમાં પશુઓને હામી બાળવાં કાપવાં વગેરે અશુભ પાપ ક્ર્મસેવા છે. હારા લાખા પશુઓને અને પંખીઓને મારીને તે વડે આજીવિકા ચલાવવી અને તે કર્મની અનુમાના કરવી તે પાપ કર્મની સેવા છે. જે કર્મો કરવાથી પુણ્ય ઉત્પન્ન થાય છે તેને પુણ્યકારક સેવા કહેવામાં આવે છે. સાતક્ષેત્રમાં ાન વાપરવું. સાધુઓની અને સાધ્વીઓની સેવા કરવી, સત્પુરૂષોની સેવા કરવી, ગરીબ અનાથ જનાના ઉદ્ધાર કરવા, મરતા જીવાને ખેંચાવવા, અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય વગેરે સદ્ગુણીના પ્રચાર કરવા, દેવગુરૂ ધર્મની આરાધના કરવી, નીતિના વિચારાના અને આચારાના પ્રચાર કરવા, શુભ પરિણામવડે સર્વ જીવાને શાંન્તિપ્રદ કાર્યો કરવા, સાધુ સાધ્વીને આહાર પાણી આપવાં, તેને પુસ્તકા, વસ્ત્રો વસતિ વરેગેનું દાન કરવું, ઇત્યાદિ શુભ કર્મો કરવાં તેને પુણ્ય કર્મ સેવા કહેવામાં આવે છે. પાપકર્મોની સેવાના ત્યાગ કરીને પુણ્ય કર્મોની સેવા કરવી જોષએ. પુણ્યનાં શુભ ાને મન, વચન અને કાયાથી કરવાં જોઇએ. શુભ વિચારોવડે અને શુભાચારીવડે સમાજસેવા, વિશ્વસેવા, સ ́ધસેવા વગેરે સેવા કરવી જોઇએ. શુભ કર્મો કર્યાં વિના સેવાનુ નામ તે અસેવા નામ સમજવું. આર્યાવર્તમાં શ્રી નીશ"કરાએ શુભ સેવાધર્મના સરસ માર્ગો દર્શાવ્યા છે કે જે માર્ગોને આદરવામાં For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy