________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
ભજનપદ્ય સંગ્રહ.
ઈચ્છાઓ લીન થઈ જતી રે, રહે ન દુઃખનું ભાન; હું તું ભેદ ન જ્યાં જરા રે, આનન્દમાં ગુતાન. બાલુડે. ૮ શબ્દાતીત એ બાલુડે રે, અન્તર્મોહી જણાય;
બુદ્ધિસાગર દેખતાં રે, આનન્દમાં ઉભરાય. બાલુડે. ૯ ૧૯૬૯. શ્રાવણ શુદિ ૧૩
-
મુને
-
લગા તાર હારાથી, બહિર્ ત્યાગીપણું કીધું; થઈ તન્મય હને ધ્યાવું, સદા એ ચિત્તમાં રૂ. શમે ના ઉભરા યાવત, પ્રગટતી વાસના મનમાં નથી તાવત્ પ્રભુને હે, સમર્પણ સર્વનું કીધું. સદાને હું પ્રભે! ત્યારે, અહો એ બોલવું સહેલું; પ્રભુના ધર્મમય રહેવું, કઠિન એ કાર્ય છે મેટું. અમારૂં ચિત્ત ચોટયું છે, અમારું દિલ લાગ્યું છે; અહો એ બોલવું સહેલું, ઘણું દુર્લભ પરિણમવું. પ્રભે! હારા વિના બીજે, નથી હારા હૃદયમાંહી; હૃદયમાં વાસનાઓ બહુ, નથી બીજે વચન કેવું? સકલ સાક્ષી પ્રત્યે !! તું છે, અહો એ બોલતા સર્વે; જગની સાક્ષીની આશા, અભિપ્રાયે રહે ઈચ્છા. પ્રભે! વીતરાગ ! તું સાચે, થતો વીતરાગ ના મનમાં થવું વીતરાગ ના સહેલું, જવું સામાપુરે જેવું. અકલ આ વિશ્વની લીલા, અકલ લીલા પ્રત્યે !! હારી, પ્રભુની પ્રાપ્તિ માટે તો, પ્રભુનું જ્ઞાન કરવાનું. જગ પડદે ખુલ્યા વિના, સમાતી વાસનાઓ ના; પ્રભુને પૂર્ણ જાણ્યા વણ, ખરે સન્તોષ નહિ મળતે.
૭
For Private And Personal Use Only