SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૮ પડે છે પણ તે એકાન્તે તે નહીં. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ ચાર અંગાના યાગમાં સમાવેશ થાય છે અને પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાષિના રાજ્યેાગમાં સમાવેશ થાય છે. યમની સિદ્ધિ થયા પશ્ચાત્ નિયમની સિદ્ધિ થાય છે, આસનના જય થવાથી રાજયોગમાં ઘણી મદદ મળે છે, પૂરક કુ લક— રેચક પ્રાણાયામ ને બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ કહેવામાં આવે છે. ઈંડાને ગંગા, પિંગલાને યમુના અને સુષુમ્હાને સરસ્વતી કહેવામાં આવે છે. ત્રિપુટીને કાશી અગર પ્રયાગ કહેવામાં આવે છે. ડાખીનાસિકામાંથી ચંદ્ર વહે છે . અને જમણી નાસિકામાંથી સૂર્ય વહે છે. બ્રહ્મર ધ્રુને વૈકુ, ગાલાક-બ્રહ્મલોક સિદ્ધસ્થાન કહેવામાં આવે છે. આખા શરીરને ચૌદરાજલેાક કહેવામાં આવે છે. શરીરમાં નાભિથી ઉપર સાતરાજલાક રહેલાં કહેવામાં આવેલાં છે અને નીચે સાતરાજલાક કહેવામાં આવ્યાં છે. શરીરમાં રહેલી ચિત્તવૃત્તિને પ્રકૃતિ કહેવામાં આવે છે અને જીવને પુરૂષ કહેવામાં આવે છે. આધાર, સ્વાધિષ્ઠાન વગેરે શરીરમાં ષટ્ટચક્રો કહેવામાં આવ્યાં છે અને તેમાં ધ્યાન ધરવાથી સુષુમ્ગાનાડીનું ઉત્થાન થાય છે અને મેરૂદંડમાં પ્રાણુનુ વહન થાય છે. ભરડાના કરાડના ભાગને મેરૂ કહેવામાં આવે છે. ઇડા અને પિંગલામાં વારાફરતી પૃથ્વી, અપ, તૈજસ, વાયુ અને આકાશ એ પાંચ તત્ત્વ વહ્યા કરે છે. આખા દિવસમાં એકવીશ હજાર અને સે શ્વાસેાશ્વાસ વહ્યા કરે છે. શરીરમાં વાયુ, કફ અને પિત્તની નાડીયાનુ પ્રતિપાદન કરવામાં આવ્યું છે, વાયુ, પિત્ત અને કનું સામ્ય થતાં સાત્વિક પ્રકૃતિ થાય છે. નાભિકમળમાં જે ધ્યાનવૃત્તિ રાખવામાં આવે છે તેને સુરતા કહે છે, નાભિમાં જે પ્રકાશ થાય છે તથા ત્રિપુટીમાં પ્રકાશ થાય છે તેને ઝળહળ જ્યાતિ કહેવામાં આવે છે. ચોરાશી જાતના આસનેાવડે પ્રાણના જય કરવામાં આવે છે. પત જલિના વખતમાં ચારાશી જાતનાં આસને નહાતાં, ગારખના સમયમાં અને મત્સ્યેન્દ્રના સમયમાં ઘણાં આસના વધ્યાં, કાલાંતરે મુદ્રા પણુ વૃદ્ધિ પામવા લાગી અને પ્રાણાયામના ભેદો પણ વધવા લાગ્યા. વેદ્યમાં અને દશ ઉપનિષદોમાં અનેક આસનાની અને પ્રાણાયામની વ્યાખ્યા કરવામાં આવી નથી, શ્રીમહાવીરસ્વામીના સમયમાં હયાગની પ્રક્રિયાઓનુ વિશેષ વન જોવામાં આવતું નથી. હડયેાગની તે સમયે પ્રવૃત્તિ હશે પરંતુ તે ગુપ્ત રાખવામાં આવેલ હાય એમ લાગે છે. અમારા બનાવેલા ચેાગદીપક નામના પુસ્તકમાં યેાગના આઠ અંગાનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે તેથી યાગજ્ઞાનના જિજ્ઞાસુ એ વિશેષ જ્ઞાનાર્થે યોગદીપકનુ' વાચન કરવુ'. અધ્યાત્મજ્ઞાનના પરિપાક થતાં યેાગજ્ઞાન અને તેની પ્રવૃત્તિથી આત્માની શુદ્ધિમાં ઉપકાર થાય છે. અમેાએ ભ For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy