________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
ભજનપદ્ય સંગ્રહ.
સત્ય આબાલ્યથી શાસ્ત્ર નિયમેવડે જે થયા નૈષ્ઠિક બ્રહ્મચારી, સાધુઓ તે કરે જેન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૩ નામને રૂપને મેહ જે નહિ ધરે મેહના સર્વ અધ્યાસ ટાળે, જ્ઞાન અભ્યાસમાં ચિત્તને વાળીને જ્ઞાન પ્રાપ્તિવિષે આયુ ગાળે; આગમ જ્ઞાનને ધારતા ગુરૂગમે સંશયે થાય તેને નિવારી, સાધુએ તે કરે જેના ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૪ સંપીને રહે સદા કલેશને નહિ કરે ચિત્ત મેટું કરે અબ્ધિ જેવું, દેષને ના કહે કેઈન ક્યારે પણ ત્યાગીને વર ઈર્ષ્યાનું દેવું; ભેદ કિંચિત્ પડે માન્યતાઓવિષે મત ક્ષમા ધારતા ભેદ વારી, સાધુઓ તે કરે જેનધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૫ ચાલતા દેશ દેશેવિષે સંગને ત્યાગીને બેધ દેતા મઝાને, લોકને પારખે દેશને પારખે પારખે જેહ આ જમાને; ધર્મ ફેલાવતા સર્વદેશવિષે લોકને સત્ય બધે સુધારી, સાધુએ તે કરે જૈન ધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૬ સંઘ ભેગું કરી જનાઓ ઘડે કર્મ ફેલાવવા વિશ્વમાંહી, સંઘના ઐયને સાચવે સંપથી ભેદ ધરતા નહીં સંઘમાંહી; ધર્મવ્યાખ્યાનથી વિશ્વ જાગ્રત કરે પાપના ઓઘ સેવે નિવારી, સાધુઓ તે કરે જેનધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૭ સર્વ જી ઉપર રહેમ રાખે સદા રક્ષતા ભાવથી સહુ ઉગારી, પાપ હિંસા સમું કોઈ નહિ લેખ ધર્મ અહિંસા ખરે મેક્ષ બારી; સત્યની ટેકથી નેક રાખે સદા ચોરીને ત્યાગ ઉગ્રવિહારી, સાધુઓ તે કરે જેનધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૮ રાખતા દામ નહિ પાપનું મૂળ જે દામથી સર્વવિવે ઉપાધિ, દામથી દૂર તે આધિથી દૂર છે દામ ત્યાગ્યાથકી મુક્તિ સાધી, સર્વ મમતા ત્યજે દેવ પ્રેમે ભજે સાધતા સાધના ધર્મ સારી, સાધુએ તે કરે જેનધર્મોન્નતિ જ્ઞાન વૈરાગ્ય ત્યાગાદિ ધારી. ૯
ગના રંગમાં નિત્ય લાગી રહે વિશ્વ ભેગે ત્યજી નિત્ય ખેલે, સામ્યભાવે રહે સર્વ સાચું કહે પાપની વૃત્તિ દૂર ઠેલે,
For Private And Personal Use Only