________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીવને બાહ્યદશામાં ભટકવાને ત્યાગોપદેશ
જીવનજી બારણે મત જાજેરે. એ રાગ. જીવલડા બાહ્યમાં નહિ ફરજે રે, ભવસાગરને ઝટ તરજે. જીવલડાઇ આઠ કર્મની સાથે લડજો રે, મહા મેહની સાથે વઢજો રે; શિવપુર નિસરણીએ ચડજે.
જીવલડા. ૧ આશ્રવ દ્વારે દીજે તાળું, કરીએ કુમતિ મુખ કાળુરે; સુમતિ પર થઈએ કૃપાળુ. .
જીવલડા. ૨ ચારની સાથે મૈત્રી બાંધેરે, સુરતા સાથે સંબંધ બાંધો રે; વિવેકમાં પડશે ન વધે.
* જીવલડા. ૩ ચારિત્રની બાજી રમજોરે, અનુભવનાં ભજન જમજે, પાંચ શત્રુને વશ કરી દમજે.
જીવલડા. ૪ બારને નિજ ઘરમાંહિ લાવે રે, સતી સમતાને પ્રેમે મનાવો રે; ધર્મ ધ્યાનને કરજે વધાવે.
જીવલડા. ૫ ક્ષમા છત્રને શિરપર ધરજે રે, જિનવર વાણી અનુસરજે રે; કહ્યું ઉપયોગનું ઝટ કરો.
જીવલડા. ૬ પ્રભુ ભક્તિની ભાંગ વટાવરે, દયા ધ્યાનને સાથ મિલાવે રે મન પ્યાલામાં ભરીને ચડાવે.
જીવલડા૦ ૭. સેળને તત્ક્ષણ શિખ દેજે રે, સત્તરને હૃદયમાંહિ વહેજો રે; નવને નિર્ભય થઈ લેજે.
જીવલડા. ૮ જ્ઞાનદીપકનું અજવાળું રે, ટાળે મનમાં થતું હારું લ્હારૂં રે; કહ્યું મનનું ન કરશે નઠારૂં.
જીવલડા. ૯ બારની કરિજે નિત્ય યારીરે, ત ત્રણની સંગે નઠારી રે; સત્તાવનની સેવા સારી.
જીવલડા. ૧૦ વીશની સેવા સુખકારી રે, શુદ્ધ રમણતા ગણજે પ્યારી રે; બુદ્ધિસાગર મંગળકારી.
જીવલડા૦ ૧૧ મુ, સુરત,
For Private And Personal Use Only