________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ્હારે ન્યાય વિચાર
ગઝલ
“અમોએ જે વિચાર્યું છે, કરીશું પ્રાણ પણ પડતાં ખરા સંકલ્પ સિદ્ધાના, ડગાવ્યા નહિ ડગે કયારે. ” “યથા બુદ્ધિ તથા જાણે જગના લેક એવું અરે હેંમાં ભરસો છે, કદી સાચું કદી જૂઠું” ૨ ઉદય ત્યાં અસ્ત થાવાને, કરે કેટી ઉપાયોને; " ખરૂં એ જન્મ ત્યાં મૃત્યુ, સ્વભાવે એ બન્યું બનશે. ૩ “બુરે અજ્ઞાનને પડદે, નથી જ્યાં સત્ય દેખાતું; ચિરી અજ્ઞાનને પડદે પ્રકાશે સત્યને યોગી.”
બધા જ્યાં સ્વાર્થના સગી, ભમાવ્યા જે ભમે ક્ષણમાં નથી તે ન્યાયના કર્ત, સભા તે ભસ્મ ગ્રહ જેવી. ૫ “મન્યા પણ તે મળ્યા જૂઠા, નથી જે દીલથી મળતા ખરા પ્રેમી વિના મળવું, ઘુવડને કાગડા જેવું.” “હૃદયને વાણીથી જુદું, નથી વિશ્વાસને છાંટ; ખરા પ્રેમી વિના વસવું, જીવંતા દાહભૂમિ એ. “નથી જે સ્નેહ ચક્ષુમાં, બહુ દેખે વળે ત્યાં શું; દયા શુષ્ક હૃદય ક્યાં છે, વળે નહિ ત્યાં ગરીબનું.” ૮ “ નથી જ્યાં લાજની પરવા, ખરૂ કહેવા થકી ત્યાં શું; નથી જ્યાં ગ્યતા આવી, કહે સાચું વળે ત્યાં શું ૯
નમેલાને સદા નમવું, હિતસ્વીથી સદા હળવું કુસંગી સંગમાં કાળુ, મળેલું પણ ટળી જાશે. ૧૦ ગમે છે જ્ઞાતિની વાતે, ખરા છે આત્માના જ્ઞાની; બુદ્ધયબ્ધિ સત્ય લેવાનું, લઘુ તેણે છુપાવ્યું છે.
સુરત.
For Private And Personal Use Only