________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારે સત્યશિષ્ય જિનકા ધમ જણાયા છે, એ રાગ. જે મનથી ન વર્તે ત્યારે, તે સાચા શિષ્ય અમારા. ગુરૂની વાણુ મીડી જાણી, અત્તર માંહિ ઉતારે ગુરૂના ગુણ ગાવામાં ભક્તિ, કર્યું ન ભૂલે ક્યારે. જે ૧ કડવી શિક્ષા લાગે પ્યારી, કદી ન સામું બેલે; પ્રાણ પડે પણ કરે ન નિંદા, દૂષણ કદી ન ખેળે. જે ૨ સેવા સાચી નિશદિન સારે, ગુરૂ પ્રભુ સમ ધારે; ભમે નહિ ભરમા કયારે, નિન્દક જનને વારે. જે ૩ સાનવડે સમજાવ્યું સમજે, માન કપટને ત્યાગે; ગુરૂના મન પ્રમાણે વર્તે, લળી લળી પાયે લાગે. જે ૪ પરમ પ્રેમથી વિનય કરીને, ભણતે તત્વ વિચારી; સાચા મનથી ગુરૂની શ્રદ્ધા, સમતાની છે કયારી. જે પ રીસાતો નહિ ગુરૂની સાથે, સામે કદી ન થાતે; લજજાળું ગભીર થઈ મનને, આડે નહિ અથડાતે. જે ૬ ગુરૂને વન્દ કદી ન નિન્દ, સ્વાર્થત્યાગ બહુ રાગી, એક ટેકથી માને નિશદિન, અન્તરમાંહિ જાગી. જે ૭ મન વચન કાયાથી ગુરૂની સેવા માંહિ મેવા તત્ત્વ વાતને પૂછે પ્રેમ, ધર્માચારજ દેવા. સમકિત દાયક સદ્દગુરૂવરજી, જગમાં મહા ઉપકારી; પ્રેમે વન્દ્ર પાય પીને, હારી છે બલિહારી. જે ૯ શુદ્ધ ભાવના એવી રાખે, કરીને ગુરૂનું શરણું, ગુરૂગમથી સહુ જ્ઞાન ગ્રહે છે, સમતામૃત નિઝરણું. જે ૧૦ લઘુતા મનમાં લાવી દેશે. ગુરૂ ગીતારથ જ્ઞાની; બુદ્ધિસાગર માનું સાચા શિની નિશાની. જે ૧૧
સુરત.
For Private And Personal Use Only