________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારા
ગ.
ઉલટી આ કરીને સંતે, દેખ ત્રિપુટી અજવાળું; ઝળહળ જગમગ જોતિ ઝળકે, જુદી રીતનું ઉજિયારૂ. ૧ ત્રિપુટીમાંહિ ત્રાટક કરતાં, અનેક રૂપ દેખાતાં; અનહદ અધિષ્ઠાયક દેવનાં, રૂપિ પરગટ પરખાતાં. ઈષ્ટ દેવનાં દર્શન થાતાં, અનેક યેગી દેખાતા; સમવસરણ દેખાતું સારૂં, દેવકુમર ગીત ગાતા. ૩ જેજે છે તે દેખાતું, અજવાળામાં બહુ ભાસે; બાહિર અજવાળું નહિ એવું, ઉલટ આંખથી પરખાશે. ૪ તીર્થોનાં દર્શન બહુ થાતાં, થાશે તે પણ દેખાતું, નહિં ખોટું આ પ્રગટ પરિચય, સંસ્કારીને સમજાતું. ૫ બ્રહ્મરંધ્રમાં જઈને સુરતા. ઝળહળ જ્યોતિ પ્રગટાવે; ચકરી આવે એવી ઉલટી, ભાન બ્રાહ્યનું ભૂલાવે. ૬ અજવાળું અજવાળું પુષ્કળ, અનેક રૂપ નિરખાતાં; વહે ન બાહિર શ્વાસોશ્વાસ, આનંદ આનંદ થઈ જાતાં. ૭ દૃશ્ય દષ્ટ ભાન રહે નહિ ચેન પડે ત્યાં બહુ ભારી; ચઢી ખુમારી શિવસુખકારી, ઉતરે નહિ તે ઉતારી. ધ્યાન રૂપસ્થની એ લીલા, જરા ન ચળવું દેખંતાં; ઉદાસીનતા મનમાં લાવી, સર્વ રૂપને પરખંતાં. ૯ અન્તરના ઉપગે રહીને, દમાં નહિ મુંઝાવું; શુપગે ભિન્ન વિચારી, રૂપાતીત ધ્યાને જાવું. રૂપાતીતની પ્રાપિત દુર્લભ પંચમ કાળે નહિ પૂરી, શુકલ ધ્યાન તે કિંચિત્ ભાસે, આજ દશા છે અવધારી. ૧૧ અન્તરના ઉપગે રહેવું, અનુભવ અમૃતને પીવુ; બુદ્ધિસાગર આપ સ્વભાવે, અનન્તકાળ લગી જવું. ૧૨
સુરત.
For Private And Personal Use Only