________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમારી સ્થિતિ,
ગઝલ..
અમે તે ભાવના ભેગી, અમે તે જ્ઞાનના યોગી નહીં છે લાજ દુનિયાની, અમારૂ ચિત્ત મસ્તાની.
હજારની નિરાશામાં, અમર શાનિત છુપાઈ છે; અમારૂં તેજ સર્વત્ર, ભલાની એ ભલાઈ છે.
” અમારે નહિ કદી ડરવું અમારે કર્મને હરવું; અમારૂં તે અમારામાં, તમારૂં તે તમારામાં “ તમારૂં તે અમારૂં છે, ખરી એ સત્યની કુંચી; અમારે મસ્તનું બાનું, અમારું દિલ નહિ છાનું. અમારી વાત સર્વત્ર, ગઆઓ જગાવે છે, દહાહ્યાં દીલ શમવાને, ખરે એ ધર્મ ધ્યાવે છે. ખરૂં એ રૂખનું ખાતું, ભલું એ ભાવનું ભાતું, ગરીબી ન ગણવાની, ભલાઈ ન ભણાવાની. હશે જેવું થશે તેવું, વિધાતા વાંક ગણવાને; ખરૂં જીગર જણાવાનું, છુપે નહિ તે છુપાવાને. ૭ અનંત સુખ પિતાનું, ગ્રહી લેવું ભલાઈથી કરીને કર્મને અંત, થઉં હું શાંત સમજ્યાથી.
જીગરની વાત જે જાણે, અમારે ભાવ તે આણે, છુપાયું તેજ અંધારે, ઝળકશે જેતિ ઝટ ધ્યાને. ” અમારા તેજની તેજી, હજી છે હાથમાં બાજી; બધું એ બુદ્ધિના બળમાં, પડું નહિ કર્મના છળમાં. ૧૦ કરેલું એ ભરેલું એ, ભરેલામાં ભરાશે એ; બુદ્ધ બ્ધિ સંત સેવાથી, સદા જે સત્ય થાશે એ. ૧૧
સુરત.
For Private And Personal Use Only