________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ ૧ લે.
૧૬૮
રામ રાવણને પાડવ કરવ, મૂકી ચાલ્યા સહુ માયા; બણઠણું શું ફૂલી ફરે છે, પડતી રહેશે તારી કાયારે. ચેતન ૩ માયા મમતાને આળસ છાંડી, ધ્યાન ધરે સુખકારી; બુદ્ધિસાગર સગુરૂના પ્રતાપે, પામે છવ ભવપારીરે. ચેતન ૪
(સાણંદ)
૫૬.
(૨૩૫) (હવે મને હરિ નામશે નેહ લાગ્યા–એ રાગ) હવે હું સમજે જિનવર નામ એક સાચું, સાચું જિન નામ બીજું કાચુંરે. માતપિતા ભાઈ દીકરાને દીકરી, લલના કુટુમ્બ નહિ મારૂં; મારૂ મારૂં કરી મમતાથી હાર્યો, જાયું હવે સહુ ન્યારૂ રે. હવે ૧ જન્મીને જાયું ન તવ સ્વરૂપ મેં, ફેગટ ફન્દમાં હું ફૂલ્યા; લક્ષમીસત્તાની પૅનમાં ઘેરાયે, ભણતર ભણીને હું તે ભૂલ્યારે. હવે ૨ કાયા મન વાણુથી ન્યારે હું આતમ, અલખસ્વરૂપી સુહા; ધ્યાન ધરીને જોયું સ્વરૂપ તે, આનન્દ અતિશય પારે. હવે ૩ ભેગુરૂએ મને ભેદ બતાવીને, વિષયવાસનાથી વા; બુદ્ધિસાગર ધન્ય ધન્ય ગુરૂછ, આપ તર્યાને મને તારે. હવે૪
प्रातः मङ्गलम्.
( ર૩૬) (હવે મને હરિ નામશું નેહ લાગે-એ રાગ) શ્રી સંખેશ્વર પાર્શ્વ તારજોરે વહાલા, બાલ કરે છે કાલાવાલારે
શ્રી સએશ્વર ધરણેન્દ્ર પદ્માવતી દેવી, શાસન સાનિધ્યકારી; વિલાપહારી, મલકારી, સાહાસ્ય કરે સુખકારી રે. શ્રી સંખેશ્વર ૧ શ્રી ચિન્તામણિ પાર્શ્વ મંત્રને, જાપે જગ જયકારી, દર્શન દઈને દુઃખડાં ટાળે, મહિમા જગમાંહિ ભારી રે. શ્રી. ૨
For Private And Personal Use Only