________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજશ્રીની
લખાયેલી ભવિષ્યવાણી
એક દિન એવો આવશે, એક દિન એવો આવશે, આ મહાવીરના શબ્દો વડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે,
- સ્વાતંત્ર્ય જગમાં થાવશે. એક. (૧) સહુ દેશમાં સ્વાતંત્ર્યન, શુભ દિવ્ય વાદ્યો વાગશે, બહુ જ્ઞાનવીર–કર્મવીર જાગી અન્ય જગાવશે. એક. (૨) અવતારી વીરે અવતરી, કર્તવ્ય નિજ બજાવશે, અણુ લુહી સે જીવન, શાતિ ભલી પ્રસરાવશે. એક (૩) સહુ દેશમાં સૈ વર્ણમાં જ્ઞાનીજને બહુ ફાવશે, ઉદ્ધાર કરશે દુ:ખીને, કરુણા ઘણી મન લાવશે. એક. (૪) સાયન્સની વિદ્યા વડે, શોધે ઘણું જ ચલાવશે, જે ગુપ્ત તે જાહેરમાં, અદ્ભુત વાત જણાવશે. એક (૫) રાજા સકલ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે, હુન્નર કળા સામ્રાજ્યનું, બહુ જોર લોક ધરાવશે. એક (૬) એક ખંડ બીજા ખંડની, ખબરે ઘડીમાં આવશે, ઘરમાં રહ્યા વાતે થશે, પરખંડ ધર સમ થાવશે. એક (૭) એક ન્યાય સર્વે ખંડમાં, સ્વતંત્રતામાં થાવશે, બુદ્ધબ્ધિ ' પ્રભુ મહાવીરનાં,
ન તો જગમાં વ્યાપશે. એક (૮) E
(સંવત ૧૯૬૭ માં લખાયું.)
For Private And Personal Use Only