________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગ-દીપક
૨૩૭
મહારાજ તથા સુખસાગરજી મહારાજનાં પગલાં હતાં. મહેસાણાના ગુરુમંદિર પરની છત્રી અને મંડપ જેવા માટે આવતું જેમાસું મહેસાણું કરવાની વિનંતિ સાથે શ્રાવકે આવ્યા. મહારાજે સ્પષ્ટ કહ્યું કે હવે આવતું ચોમાસું કરવું છે જ કોને ?
યોગીરાજ શ્રી બુદ્ધિસાગરજીને પહેલેથી જ પિતાની અંતિમ યાત્રાની જાણ થઈ ચૂકી હતી. તે વખતે તેઓ પોતાના પ્રિય સ્થાન મહુડીમાં બિરાજતા હતા. વિજાપુરને સંઘ એમને મહુડીથી વિજાપુર લઈ જવા માગતો હતો. પુંધરાના જ્યોતિષીએ વિહારનું મુર્હત કાઢી આપતાં કહ્યું કે, “જેઠ વદ ત્રીજે આઠ વાગ્યા પછી મહુડીથી વિહાર થાય.
' સૂરિજીએ કહ્યું કે, “મારે તે છ વાગે વિજાપુર પહોંચવું છે.”
સંઘે કબૂલ રાખ્યું. મહુડીમાં એ રાતે એમની નાડી મંદ પડી. દાકતરો ગભરાયા. વહેલી સવારે
For Private And Personal Use Only