________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગદીપક
૨૩૫
છેલ્લા ચાર વર્ષથી એમના દેહમાં ડાયાબિટીસ-મધુપ્રમેહનો રોગ ઘર કરી ગયો હતો. દાકતરે એવું નિદાન કર્યું કે રોગ એટલો બધો વધી ગયો છે કે તેઓ છ મહિનાથી વધુ નહિ ભાળે.
સૂરિજી હસ્યા. એમણે કહ્યું: “હજી ઘણું કામ બાકી છે. પૂરાં ન થાય ત્યાં સુધી મૃત્યુની ફિકર શું કરવી? જો કે હવે કામ ઝડપથી ઉકેલવા પડશે, એ સાચું.
' સૂરિજીએ આત્માનું સ્વરૂપ જાણ્યું હતું. મૃત્યુને તેઓ ઓળખતા હતા, એથી જ દાકતરના નિદાને એમને સહેજે ચિંતાતુર કર્યા નહિ. એમણે તો એમનાં કાર્યો ઝડપથી પૂરા કરવા માંડયાં. ગ્રંથશિખે ઝડપથી પ્રગટ કરવા માંડ્યા. બીજી બાજુ પત્રથી સહુને ઉપદેશ આપવા લાગ્યા. પોતાના વિચારો સાથે સંમત ન થનારા શિષ્યાની એમણે વારંવાર ક્ષમાયાચના કરી.
માન" +
UUE
For Private And Personal Use Only