________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘંટાકર્ણની સ્થાપના
૧૯૭ મંત્રસિદ્ધિનાં ત્રણ દિવ્યદર્શને. આમાંથી એકનુંય દર્શન થાય તો મંત્રસિદ્ધિ મળે. આ સાધુને તો અમાસની પાછલી રાત્રે ત્રણે દિવ્ય દર્શન થયાં, છતાં તેઓ તો એ જ ધ્યાનમગ્ન દશામાં ડૂબી રહ્યા. એમને સંકલ્પ તે શ્રી ઘંટાકર્ણ વીરનાં સાક્ષાત દર્શન કરવાને હતા.
વેદિકામાંથી એક પ્રચંડ મહાપુરુષ પ્રગટયા. હાથમાં ધનુષ અને બાણ સાથે એ ધીરે ધીરે ઊંચે આવ્યા. કાનમાં ઝળકતા કુંડળ, માથે ચળકતા મુકુટ અને હાથમાં અજેય વીરતાને બતાવતાં ધનુષ–બાણ, કેડે કચ્છ સહિત પ્રગટ થયેલ આ વીર પુરુષનું દર્શન સાધુના મનમાં રમી રહ્યું. એમણે ધરાઈ-ધરાઈ એનાં દર્શન કર્યા. થોડા સમયમાં એ આકૃતિ અદશ્ય થઈ
ત્રણ દિવસ બાદ આ સાધુ બહાર આવ્યા. એમના મુખ પર દિવ્ય પ્રકાશ પ્રસરી રહ્યો હતો. સાધુએ ઉપાશ્રયમાં જઈને જે ઘંટાકરણ વીરની
+, :
કે*
*
:
-
-
-
રાજ
For Private And Personal Use Only