________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકોના બુદ્ધિસાગરસૂરિજી
હતા. આ સમયે ભેજન કરતી વખતે સ્વાદિષ્ટ ઓસામણુ ખૂબ ભાવી ગયું, પણ એ જ પળે વિચાર આવ્યું કે આ તે હું જીભના સ્વાદને ગુલામ થઈ રહ્યો છું. તરત જ આ જાગૃત આત્માએ ઓસામણુમાં પાણી નાખી દીધું અને એને ફિકકું બનાવી ખાધું. ઓળી પર તો એમને અદૂભુત શ્રદ્ધા હતી. મૃત્યુના મેંમાં સપડાયા છતાં એક વાર એને છોડી નહોતી.
બાળપણમાં અબોલ જીવોની આંતરડીને અવાજ સાંભળનારા શ્રી બુદ્ધિસાગરસૂરિ પોતાના પ્યારા વાછરડાની વેદનાભરી રસીસે જીવનભર ભૂલ્યા. નહોતા. એક વાર તેઓ પોતાની ડાયરીમાં કબૂતર પર કવિતા લખતા હતા. કવિતા લખે ત્યારે એમાં એકરૂપ બની જતા. એમના અંતરના ભાવ અને કુદરતનાં હેત એટલાં બધાં એકરૂપ બની ગયાં કે કવિતાની બીજી પંક્તિ લખાય તે પહેલાં તો એક કબૂતર આવીને એમની ડાયરી પર બેઠું !
For Private And Personal Use Only