________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મંગલમય પરિવર્તન
૧૫૩ મન તો કઈ ઊંડા ચિંતનમાં ડૂબી ગયું હતું અને આત્મવિચારણાની પાટે બેઠું હતું. મનોમન એ એક પછી એક નિરધાર કરે જતા હતા :
સ્તુતિ અને નિંદાથી દૂર રહીશ- હર્ષ અને શોક ધારણ કરીશ નહિ, રાગદ્વેષને સેવીશ નહિ, નિંદા કરનાર પર પણ વેર નહિ રાખું.
બહેચરદાસ આવા આવા વિચારમાં મશગૂલ હતા. ૨૭ વર્ષના જુવાન અને તેજસ્વી બહેચરદાસને જોઈને નગરજને આપોઆપ બે હાથ જોડી નમસ્કાર કરતા હતા. બહેચરદાસ સામે બે હાથ જોડતા હતા. પણુ અંતરમાં તો પિલી ધર્મવિચારણુ જ ચાલુ હતી.
ચારે કોર એમની વાહ વાહ થઈ રહી હતી પણ બહેચરદાસનું મન તો, જળમાં કમળની જેમ, એ બધાથી અલિપ્ત જ રહેતું. એ વિચારતા હતા : આ વાહ વાહ કંઈ મારી પોતાની નથી, પણ એ તે મહાવીરે બતાવેલ, અહિંસા, સંયમ, તપમય ધર્મનું
For Private And Personal Use Only