________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) ઘણી જુદાઈ થવાથી જેને હવે હિંસામય વેદની શ્રુતિને વિશેષ માનવાના નથી એમ તેમને ખાસ લાગવાથી તથા ધર્મ દ્વેષથી બ્રાહ્મણોએ વેદ લખાયા હોય તે સમયમાં ચોવીશ તીર્થંકરાદિની ઐતિને કાઢી નાંખેલી હોવી જોઈએ તે પણ જૈન મુનિઓ તેનું ટાંચન કરી રાખેલું છે કે જેથી ઋગવેદના ઋષિ
એ તીર્થકરની સ્તુતિઓ કરી હતી એમ જણાઈ આવે, અથવા બીજું અનુમાન એમ થાય છે કે, ઉત્તર ધ્રુવ રૂશિયા તરફથી ઋષિયો જ્યારે આર્યાવત તરફ આવ્યા અને આર્યાવર્તમાં પ્રવેશ કરી કેટલાંક રાજ્ય લીધાં ત્યારે બાકી રહેલા જૈન રાજાઓ, જૈનેનું મન સંપાદન કરવા તે વખતે કૃષ્ણવર્ણ જૈનમાં પૂજ્ય ગણાતા શ્રી અરિષ્ટનેમિ અને તાઢ્ય પાર્શ્વનાથનાં નામને સ્તુતિ તરીકે વેદમાં દાખલ કર્યા હોય કે જેથી તેઓ પિતાના વેદને વિશેષ પ્રચાર કરી શકે. આવા ઉદ્દેશથી વા શ્રી અરિષ્ટનેમિ અને પાર્શ્વનાથના ગુણેથી શ્રદ્ધાયુક્ત થઈને તે બે તીર્થંકરેનાં વેદોમાં નામ દાખલ કર્યા હોય એમ સંભવે છે. ઋષિયોના વંશજો રૂશિયા તરફથી પહેલાં આવ્યા તે વખતે ગૌર વર્ણન હતા પરંતુ પાછળથી ભારતનો તાપ અને તેની હવાથી તેઓ પહેલા જેવા જેને કાળા હતા તેવા બની ગયા અને હાલના યુરેપી રાજ્યની દૃષ્ટિએ તે પૂર્વના જૈનેના જેવા કૃષ્ણ ગણાવા લાગ્યા છે. મુસલમાને ઇરાન કાબુલથી આવ્યા ત્યારે ગેરવર્ણના હતા પણ પાછળથી હિંદુઓના જેવા શરીરવર્ણથી ઘણું થઈ ગયા છે. ઋષિના બનાવેલા વેદોના હિંસક યજ્ઞોથી લોકોને શાંતિ થઈ નહીં. જ્યારે જ્યારે અધર્મની ઘણી ઉત્પત્તિ થાય છે ત્યારે ત્યારે તીર્થકરને અવતાર થાય છે. વેદોની યામય હિંસાથી આર્યાવર્ત પાપી બનવા લાગ્યું ત્યારે શ્રી તાર્યવંશી પાર્શ્વનાથ થયા અને તેમના પછી અઢીસે વર્ષના અંતરે ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી થયા. તથા શ્રી ગૌતમબુદ્ધ પ્રગટયા. શ્રી મહાવીર પ્રભુએ કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને વામ ભાર્ગીઓએ વેદમાં પ્રસારેલી જે યજ્ઞ પશુહિંસા થતી હતી તેને નાશ કર્યો. શ્રી મહાવીર સ્વામીના પ્રબલ ઉપદેશથી અને ગતમબુદ્ધના ઉપદેશથી પરિણામ એ આવ્યું કે ભારતવર્ષમાં પ્રભુના નામે વેદમંત્રના બહાના તળે જે હિંસાને પ્રચાર થયે હતો તેને નાશ થશે. શ્રી. તાઠ્યપાર્શ્વનાથે અને મહાવીર પ્રભુએ ભારતવાસીઓને આત્મજ્ઞાનનો–બ્રહ્મ જ્ઞાનને ઉપદેશ આપ્યો. તેથી લોકોને વેદના કર્મકાંડે તરફ રૂચિ રહી નહીં. શ્રી જૈનધર્મ તરફ ભારત વાસીઓની રૂચિ પ્રગટી. શ્રી મહાવીર પ્રભુના સમય પછી કેટલાક સૈકા સુધી ત્રણ વેદ પ્રચલિત હતા, શ્રી મહાવીર પ્રભુના ગણધરેએ સર્વજ્ઞના ઉપદેશાનુસાર
For Private And Personal Use Only