SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩) પાછળથી પિરાણિકાએ આર્યસમાજીઓના મત પ્રમાણે સૂર્યને વિષ્ણુ નામના એક દેવ ઠરાવ્યા. મેઘને મહાદેવના રૂપકમાં વર્ણવી દેવ ઠરાવ્યા અને વાયુને બ્રહ્મા નામના દેવ ઠરાવી તેને દેવોનું રૂપક આપી બાકીને સર્વ - ભાગ ગોઠવી દીધો. જુઓ પુનાથી નીકળતે ચિત્રમયજગત માસિકને ગુજરાતી અંકે માર્ચ ૧૯૧૭. તેમાં ઋગ્યેદ સંબંધી કેટલાક વિચારે એ નામના લેખમાં નીચે પ્રમાણે લખ્યું છે.–લે. પાંડુરંગ કાશીનાથ પૅડસે. ઋગ્રેદમાં, ઉષા, સૂર્ય, પર્જન્ય એ દેવતાઓના સૂક્તમા સૃષ્ટિવર્ણન કર્યું છે. પૃષન એ વેદમાંની કૃષિ દેવતા છે. નિરૂક્તકાર યાસ્કના વખતમાં વેદોના અર્થની પરંપરા તૂટેલી હોવી જોઈએ. એ યાસ્ક પ્રણત નિરૂપરથી સ્પષ્ટ સમજાય છે. નિરૂક્ત એટલે સ્પષ્ટીકરણ અર્થાત વ્યાખ્યાન. નિઘંટુ નામે વેદિક શબ્દ કાલનું નિરૂક્ત એટલે ટીકા છે. નિરૂક્તમાં નિર્ધા, કોષને સમાપ્નાય એવી સંજ્ઞા આપી છે. યાસ્કના સમયમાં વેદના અર્થ સમજવા દુર્ધટ થયા હતા. યાસ્કના સમયમાં કુમુનિ વેદના અર્થ ન કરાય એવા મક્કમ પક્ષના હતા. કુસુમુનિની પેઠે તે વખતના ઋષિને વેદોના અર્થ કરવાનું રૂછ્યું નહીં. તેની પરંપરા મીમાંસકેના નામથી પાછળથી પ્રસિદ્ધ થઈ. યાસ્ક મુનિ એમ લખે છે કુલ્લુ મુનિ તો એમ કહેતા હતા કે, નિરર્થકતા અર્થ વિનાના વેદો છે ( આવા અજ્ઞાન જમાનામાં વામમાર્ગઓમાં હિંસાની કૃતિ દાખલ કરી હોય એમ જણાય છે.) યાસ્કે પરિવ્રાજક પક્ષનું ખંડન કર્યું. યાસ્ક કહે છે કે ઇન્દ્રસૂન વર્ણનમાં ઇતિહાસ વર્ણન બિલકુલ નથી. તેમાં ઇન્દ્ર એ રાજા નથી. વૃત્ર એ અસુર નથી. પણ કાળાં કાળાં મેઘ વાદળાં અથડાઈને વિજલીના કડકડાટમાં વર્ષા કર્મ શરૂ થાય છે તેનું ઇન્દ્ર વૃત્ર સૂકતમાં યુદ્ધ રૂપે આલંકારિક વર્ણન છે. કોઈ પણ વૈદિક ઉપમા રૂપક કિંવા ઉભેલા બે કે તેના ઉપર ઐતિહાસિક પિરાણિકેએ એક લાંબી લચક નિરર્થક અને નકામી કથા રચીજ સમજે. અને કાલાંતરે એજ કથા જન સમૂહને સારપૂર્ણ ઇતિહાસ જ લાગવા માંડે છે. અર્વાચીન પિરાણિક કથાઓને ધાર્મિક સ્વરૂપ પ્રાપ્ત થવું એ ક્યારેય ઇષ્ટ નથી. એને લીધે સત્યની તેમજ ખરા ધર્મની ઘણી હાનિ થવાને સંભવ રહે છે. પરિવ્રાજક પક્ષ વૈદિક ઋચાઓમાંથી ઘણુ પ્રસંગે આધ્યાત્મિક અર્થ કહાડે છે તે યાસ્કને સંમત નથી. યાસ્કના મત પ્રમાણે કેટલીક ચાઓ આધિભૌતિક સ્વભાવ વર્ણનની છે અને કેટલીક રચાઓમાં નિસર્ગ શક્તિને દેવતા માનેલું વર્ણન છે. યાસ્કની પદ્ધતિને પાશ્ચાત્ય વિદ્વાને For Private And Personal Use Only
SR No.008534
Book TitleAtma Tattva Darshan
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages113
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy