________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ ) ભાવાર્થ-અંતરાત્મજ્ઞાની આત્મસ્વભાવે વર્તે છે, તેનાથી અતને કષાય મેલ ઉપશમે છે અને તેના આત્માને શુદ્ધ સ્વભાવ પ્રગટે છે. આત્મજ્ઞાની સ્વસ્વભાવ રમણતાથી અવ્યાબાધ સુખ ભેગવે છે અને સર્વ કર્મને અભાવ કરે છે અથવા નાશ કરે છે. સર્વ કર્મને નાશ થવાથી અવ્યાબાધ સુખ ભેગવવામાં કેઈપણ જાતનો અંતરાય નડતો નથી. હે ચેતન! તમારા અંતરમાં અક્ષય
દ્ધિ છે અને તેની પ્રાપ્તિ માટે અષ્ટ કર્મને દૂર કરો. જો તમે આઠ કર્મનો નાશ કરશે તો તમે હે આત્મન ! અનંત અપાર ઘણું સુખ પામશે. સંતોષી મનુષ્ય સદા સુખી હેાય છે અને આત્મજ્ઞાની પુરૂષ સદા કાળ આત્માના રસમાં લયલીન રહે છે. અને ઈંદ્રાદિક દે પણ આત્મજ્ઞાની સંતેષી મુનિની આગળ દુ:ખી દીન જેવા જણાય છે. આત્માના સુખ વિના ઈદ્રિયજન્ય સુખથી કે ખરેખર સુખી નથી. આત્માના અનંત સુખની આગળ ક્ષણિક સુખ તે કંઈપણ હિસાબમાં નથી. ચામડીનું રૂપ ને ચામડીના ભાગમાં વસ્તુતઃ સુખ નથી પણ ઉલટું દુઃખજ છે. આત્માને તેમાં મોહરૂપ શયતાન ફસાવે છે. ચામડીના ભેગથી સુખ માનવું તે કેવળ બ્રાતિ છે. જેણે આત્માના સુખને શોધ્યું નથી તે જીવતેજ મરી ગયા જેવો છે. ચક્રવર્તી અને શહેનશાહને જે સુખ નથી તે સુખ ધૂળમાં લોટતા નગ્ન અને ભિક્ષક એવા આત્મજ્ઞાની સંતેષી મુનિને છે. આત્મસુખને માટે રાજ્ય, વેપાર, નોકરી, હુન્નરકળા, સ્ત્રીલન, ગાડી, ઘોડા, તાડી વિગેરે કઈ પણ વસ્તુની જરૂર નથી. ફક્ત શરીરમાં રહેલા આત્માની જ જરૂર છે. શરીર પણ ગમે તેવું દુબળુ પાતળું કે રોગી હોય તો પણ આત્મજ્ઞાનને સંતોષ તથા સમભાવ જે પ્રગટે છે તે આત્માનું સુખ ભોગવવામાં જરા માત્ર બાધ આવતું નથી. શરીર અને ઇંદ્રિય અને મને માર ફત બાદામાંથી અને બીજાઓનાં શરીરમાંથી સુખ જે ખેંચી લેવાની બુદ્ધિ છે તે કેવળ ભ્રમણાજ છે. ત્રણ કાલના ઇદ્રો, દેવ દેવીએ અસંખ્ય ચક્રવતીઓ રાજાઓ વગેરેએ ભેગવેલું પુગલ સુખ એકઠું કરવામાં આવે અને તેને અનંતી અનંતી વાર ગુણી અનંતગણું કરવામાં આવે તે પણ ક્ષણમાત્રના આત્માના સુખની
For Private And Personal Use Only